SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર તો આસપાસના મનુષ્યોની થોડી ઘણી પ્રશંસા સિવાય કાંઈ જ ઉત્તમ ફળ પ્રકટાવી શકતો નથી. બહારનો ગમે તેટલો મોટો આડંબર હોય છતાં ઉપદેશકના અંતઃકરણના વિકારો ન્યૂનતાઓ અને ખામીઓને લીધે તે કોઈનું ખરું હિત કરી શકતો નથી. પોતાના હૃદયમાં જેટલે અંશે જ્ઞાનનો દીપક પ્રકાશતો હોય છે, તેટલા જ અંશે બીજા ઉપર તેની અસર થવા પામે છે. પોતાનું કાંઈ હિત સાધ્યા વિના ઉપદેશ વડે બીજાઓનું કલ્યાણ કરી નાખવાની મૂર્ખાઈ ઉપર પોતાના ઉદાહરણરૂપ અંકુશ મૂકવા માટે જ પ્રભુએ મૌન સેવ્યું હતું. ૩૮ પરહિત સાધવાનો આવેગ ઘણીવાર પ્રશંસાની લાલચમાંથી ઉદ્ભવતો હોય છે. તેથી આવી ઉપદેશ પ્રવૃત્તિને જેઓ નિર્દોષ અને પરોપકાર બુદ્ધિમાંથી ઉદ્ભવેલી માને છે તેઓ ઠગાય છે. સ્વહિતના કલ્યાણના ભોગે અથવા પોતાના અંતઃકરણનું અંધારું કાયમ રાખીને જેઓ દુનિયાને પ્રકાશમાં ઘસડી લાવવા પ્રયત્નશીલ રહે છે, તેઓ હિતને બદલે ઊલટું પોતાના દૃષ્ટાંતથી દુનિયાનું અહિત કરે છે. તેથી ઊલટી રીતે જેમનું લક્ષ્ય સ્વહિત સાધવા ભણી છે, અને સાધક અવસ્થામાં પરહિત સાધવાના અવિચાર ભરેલા આવેશમાં તણાતા નથી તેઓ જ આડકતરી રીતે જગતનું ખ હિત કરનારા હોય છે; અને તેમનું સાધકનું પદ પૂર્ણ થયા પછી પોતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ વડે અસંખ્ય મનુષ્યોના હૃદય ઉપર જ્ઞાનનો પ્રકાશ રેડી શકે છે. બીજાને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy