SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનવિસ્તાર ૩૧ પણ બાધા કરવી ત્યજી દીધી. લોકો તેના શરીરને અડકે તો પણ તેણે હાલવાચાલવા ન માંડ્યું. આહાર પણ ત્યજી દીધો. કીડીઓએ તેના ફ્લેવરને વીંટી લીધું અને અમિત વેદના કરવા લાગી, છતાં તેણે જે વીર્ય પૂર્વે અનર્થ કરવામાં હુરાવ્યું હતું તે જ વીર્ય હવે પરમ અર્થ માટે ફુરાવવાનો નિશ્ચય કરેલો હોવાથી, કીડીઓ દબાય તેવા ભયથી શરીર ફેરવવું-ફેરવવું પણ છોડી દીધું. આખરે કાળક્રમે કરુણાના પરિણામવાળો થયેલો તે સપનો જીવ, દેહ છોડી સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. આ કાળે પણ અનેક મહાજનોની પાસે, તેમના શાંતિબળથી, હિંસક જીવોએ પોતાની વૃત્તિ છોડી દીધાના દષ્ટાંતો બને છે. સ્વામી રામતીર્થ ઘણીવાર સર્વ વિગેરે ઝેરી જંતુઓના સહવાસમાં, દિવસોના દિવસો નિગમતા હતા છતાં પ્રાણીઓ તેમને કશી પણ ઈજી કરી શકતાં ન હતાં. પ્રેમના બદલામાં કોઈ ધિક્કાર આપી શકે એ આ વિશ્વની સનાતન યોજનામાં બની શકે તેમ નથી. માત્ર તે વિકટ કસોટીમાંથી પસાર થવા જેટલી મનુષ્યોમાં ધૃતિ, ક્ષમા અને સાહસ નથી. જે એક પ્રસંગે એક મનુષ્ય વડે બની શક્યું હતું તે સર્વ પ્રસંગે બની શકવા યોગ્ય છે. Exception proves the rule-અપવાદ એ જ નિયમને પુરવાર કરે છે. (એક દિવસ પ્રભુ ગંગા નદી ઊતરવા માટે બીજા પથિકો સાથે નાવમાં બેઠા, સમુદ્રની જેમ જળભારથી છલકાતી તે સરિતાની મધ્યમાં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy