SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનવિસ્તાર ૨૫ સંભવથી બહાર માની લઈએ છીએ, પણ વાસ્તવમાં તેમ હોવું જોઈએ નહીં. ચિત્તનો કોઈ અંશ જ્યારે વિકૃત થાય છે ત્યારે તેને યોગ્ય ઉપાયથી સુધારી શકાય છે, એટલું જ નહિ પણ તે અનિષ્ટ અંશનું જેટલું બળ બુરાઈ ભણી હોય છે, તેટલું જ બળ ભલાઈ તરફ પલટાવી શકાય છે. કોઈ પણ પ્રકારની બળવાનું ચિત્તસ્થિતિ, પછી તે ઈષ્ટ હો કે અનિષ્ટ હો, અત્યંત ઉપયોગી લેખાવા યોગ્ય છે. કેમકે ઉભય, એક સરખા સામર્થ્યસંપન્ન છે. માત્ર તફાવત એટલો જ છે કે, એક પ્રકાર વર્તમાન ક્ષણે શુભમાં અને બીજો અશુભમાં યોજાયેલ હોય છે. છતાં ત્યાં ઉભયે, શક્તિની અને કાર્યક્ષમતાની અપેક્ષાએ સરખા લેખાવા યોગ્ય છે. જે શક્તિના તે શુભાશુભ પરિણામ છે, તે શક્તિ તો સર્વદા ઈચ્છવા યોગ્ય છે. કાચા અન્નને સ્વાદિષ્ટ પકવાનરૂપે પકવી આપવામાં અને અનેક ઉપયોગી વસ્તુઓને ભસ્મીભૂત કરવામાં જેમ અગ્નિ એક જ છે, તેમ શુભ કે અશુભમાં કર્તવ્યપરાયણી શક્તિ આત્માના એક જ અંશમાંથી ઉદ્દભવી હોય છે, માત્ર તેનો ઉપયોગ સવળી દિશા કે અવળી દિશામાં કરવો એટલું જ અવશેષ રહે છે) આપણી વર્તમાન સમજણ ઘણીવાર એવી ભૂલભરેલી જોવામાં આવે છે કે તીવ્ર અનિષ્ટ પ્રવૃત્તિને આપણે ઘણીવાર ધિક્કારી કાઢીએ છીએ, પણ સાથે એ જોવું ભૂલી જઈએ છીએ કે, જે શક્તિ એટલું બધું અનિષ્ટ કરી શકવા સમર્થ છે તે જ શક્તિ ઈષ્ટદિશામાં પણ કાર્યકર થવાની યોગ્યતા ધરાવતી હોય છે. જે ચક્રવર્તી સાતમી નરકમાં જવા જેટલું Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy