SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ છે. આત્મા જો તેવી સહાય વિના પ્રભુની પેઠે સમભાવથી રહી શકવા સમર્થ હોય તો પણ દયા માર્ગનો ઉચ્છેદ ન થઈ જાય તે માટે પણ તેવી પ્રવૃત્તિ નિત્ય કર્તવ્ય જ છે. જો કે બળવાન આત્માને તેવી મદદની કાંઈ જ અપેક્ષા હોતી નથી. કર્મરૂપી અરને જીતવા માટે પ્રભુએ જે અદ્ભુત ચારિત્ર વહ્યું હતું, તે ચારિત્ર દેશ કે કાળથી નિરપેક્ષપણે ગમે તે આત્માને મોક્ષપદમાં સ્થાપી દેવા સંપૂર્ણ હતું.(હિમાદ્રિની પેઠે નિશ્ચલ પરિણામી, સાગર જેવા ગંભીર, સિંહની જેમ નિર્ભય અને મોહરૂપી સસલાથી અજેય, કુર્મની જેમ ઇન્દ્રિયોને ગુપ્ત રાખનાર, પક્ષીની પેઠે મુક્ત વિહારી, સર્વ પ્રકારના સુખદુઃખમાં સમાન ભાવી, આ લોક કે પરલોકમાં ન્યૂનાધિકતા નહિ માનનાર, જળસ્થિત કમળદલની પેઠે સંસારપંથમાં વિહરવા છતાં નિર્લેપ ગજેન્દ્ર જેટલા બળવાન છતાં મેઢાની માફક અન્યને બાધા નહીં કરનાર અને અસ્ખલિત ગતિવાળા તેઓ, સમયે સમયે અનંત પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરતા વિહરતા હતા. શ્રી મહાવીર એકદા ભગવાન શ્વેતાંબી નામના નગર ભણી ચાલ્યા જતા હતા. રસ્તામાં વટેમાર્ગુઓએ પ્રભુને ચેતવણી આપી કે તે માર્ગે એક દૃષ્ટિવિષ સર્પ રહે છે, તેથી પક્ષી સરખાંની પણ ત્યાં ગતિ થઈ શકતી નથી. પ્રભુએ પોતાના જ્ઞાનબળથી જોયું કે તે સર્પ યદ્યપિ ગમે તેવા ઉગ્ર ક્રોધના સ્વભાવવાળો છે, છતાં તે સુલભબોધી છે. જીવની કોઈ અનિષ્ટકર પ્રકૃતિ તીવ્રપણે ઉદયમાન દેખી આપણે તેને સુધારણાના Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy