SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનવિસ્તાર ૨૩ હતો, તે શરીર પ્રભુને અકિંચિત્કાર હતું. પ્રભુ જાણતા હતા કે કર્મની ફળપ્રદાયી સત્તાનો નિરોધ તેરમે ગુણસ્થાનકે વર્તતા મહાયોગીઓથી પણ બનતો નથી, તો પછી ઈન્દ્રની સહાય શું લેખામાં છે ? આત્માનું વાસ્તવ સામર્થ્ય માત્ર ભોગવી લેવામાં જ છે. જે કારણોને પૂર્વ ભવમાં આત્માએ ગતિમાં મૂક્યા હોય છે તેને યથાયોગ્ય પરિણામ આપતાં કોઈ અટકાવી શકે તેમ નથી. અવધિજ્ઞાન વડે પ્રભુ પોતાના પૂર્વકાળના નિકાચિત બંધને, તેના સ્વરૂપને અને તે જે પ્રકારે ભોગવવું નિર્માણ થયેલું છે તે બધું યથાર્થપણે જાણતા હતા તેથી તેમણે તે કર્મોને અન્યથા પ્રકારે ભોગવવા પ્રયત્ન કર્યો નહોતો. તેમ છતાં એવી કલ્પના કરવી ઉપયુક્ત નથી કે પ્રાણી માત્ર પોતપોતાનાં કર્મો ભોગવી લે તેમાં કોઈએ ડખલ કરવી નહીં. જો તેમ થાય તો અનુકંપા અને દયાનાં માર્ગનો ઉચ્છેદ થઈ જવાનો ભય રહે છે. અમુક કર્મો શિથિલ કે નિકાચિત છે તે સામાન્ય જીવો જાણતા નથી. કોઈ પ્રાણીને રોગવશ દેખી અથવા ઉપસર્ગ વડે પીડાતો જોઈ તેને સહાય કરવી એ શાસ્ત્રનો ઉત્સર્ગ અને ધોરી માર્ગ છે કેમકે તેમ થવાથી તે પીડિત જીવ અનેક આર્જ રૌદ્ર ધ્યાનથી બચવા પામે છે અને તેથી અનેક નવાં કર્મો ઉપાર્જતો અટકે છે. જોકે તેવી સહાયથી પણ કર્મો નિવૃત્ત થવા યોગ્ય હોય તો જ નિવૃત્ત થાય છે, પરંતુ પીડિત આત્માને તેવી સહાય, શાંતિ અને આશ્વાસનનું નિમિત્ત થઈ, તેનાં ઉદયમાન કર્મોની તીવ્રતાને કોઈ અંશે ન્યૂન કરવામાં સમર્થ થાય Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy