SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રી મહાવીર તીવ્ર કર્મ ઉપાર્જી શકે છે તે જ ચક્રવર્તી જો તે શક્તિમાન અંશને ઇષ્ટ કાર્યમાં યોજે તો મોક્ષ પર્યંત પણ મેળવી શકે તેમ છે. વસ્તુતઃ આપણો ધિક્કાર પ્રવૃતિશૂન્યતા ભણી હોવો જોઈએ, જે કાંઈ જ શુભાશુભ કરવા સમર્થ નથી, ગળીઆ બળદની જેમ જેનામાં લેશ પણ પાણી નથી. અચેતની પેઠે જે જગતની સત્તાની ઠોકરો ખાધા જ કરે છે, જેની પામરતા, ભોગ, લાલસા, દારિદ્રય અને પ્રમાદનો અવધિ નથી; એવા જીવો જ કદી વર્તમાન ક્ષણે સુધારણાના સંભવ બહાર ગણાવા જોઈએ; પણ જેનામાં કાંઈક જુસ્સો પાણી-વીર્ય-શૌર્ય છે તે તો તેના ગમે તે શુભાશુભ પર્યાયમાં ઇચ્છવા યોગ્ય જ છે. કેમકે તેના અશુભ પર્યાયમાં પણ તે જે દ્રવ્યનું બનેલું છે - તે દ્રવ્યશક્તિ ક્ષયોપશમભાવે આત્માને પ્રાપ્ત થયેલી હોય છે અને નિમિત્ત મળતાં તે યથેષ્ટ પ્રકારે પરિણમી શકે છે. (પ્રભુ આ વાત સારી રીતે સમજતા હતા. જો તેમ ન હોત તો તે માર્ગે થઈને પસાર થવાની તેઓ મુદ્દલ દરકાર કરે જ નહીં. મોટા પુરુષોની પ્રવૃત્તિ હંમેશાં સ્વપરને કલ્યાણકારી જ હોય છે. પ્રભુ જાણતા હતા કે કોઈ શક્તિની વિકૃત અવસ્થા એ તે જીવની અયોગ્યતાનું લક્ષણ નથી. માત્ર તે વિકારનો પરાભવ કરી તેને સન્માર્ગમાં વાળવાની જ અપેક્ષા છે. જે નદીના જળપ્રવાહનું બળ આખા નગરોને તાણી જવા સમર્થ છે, તેમાંથી જો વિદ્યુત પ્રગટાવવામાં આવે તો તે હજારો મીલોને ચલાવવા જેટલી શક્તિ (Power) આપી શકે છે. Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy