SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ 11 વિરોધમાં રોકી આખરે અધર્મને પરાસ્ત કરવાથી જ ગણાયા છે. જે સામર્થ્ય કાર્યશૂન્ય છે, તેની જગતને ખબર જ પડતી નથી. કહેવાનો આશય એટલો જ છે કે મહાપુરુષોના મહત્ત્વનું ઉપાદાન અધર્મ અથવા અસત્યની સામે લડવામાં પોતાના સામર્થ્યનો કરેલો ઉપયોગ' છે. વસ્તુતઃ એ મહાન આત્માઓને આકર્ષનાર અધર્મ નથી. પણ અધર્મનું પ્રાબલ્ય જ્યારે સત્યના સ્વરને ગુંગળાવી નાખે છે, ત્યારે તે વખતે દુઃખાતે થયેલા સત્ત્વનો અંતઃપુકાર તે મહાત્માને સાદ કરે છે, છતાં મહાજનોનું ખરું મહત્ત્વ, અધર્મ, અસત્ય અને અનીતિને જ આભારી છે. રામની મહત્તા રાવણના અધર્મથી જ બંધાયેલી છે. કૃષ્ણનું ઐશ્વર્ય કૌરવોની અનીતિથી જ જગતને સ્પષ્ટ થવા પામ્યું છે. એ જ પ્રમાણે પ્રવૃત્તિના પ્રત્યેક ક્ષેત્રમાં જે જે પુરુષોએ કાંઈ પણ મહત્તા પ્રાપ્ત કરી છે તે, તે તે ક્ષેત્રમાં રહેલા હલકા સત્ત્વનો પરાજય કરવાથી જ પ્રાપ્ત થયેલી છે. મહત્તાનું-મહાવીરતાનું આ ધોરણ દૃષ્ટિમાં રાખી, મહાવીર પ્રભુનું મહત્ત્વ શામાં રહેલું છે, એ અવલોકવાનો પ્રસંગ પ્રસ્તુત પુસ્તકમાં લીધો છે. આવશ્યક અને ઉપકારક તત્ત્વની પ્રતિષ્ઠા હવે, મહાવીરસ્વામીએ કઈ અનીતિ તથા અસત્ય સામે લડત ચલાવી, અને જગતમાં કયાં આવશ્યક તથા ઉપયોગી તત્ત્વો દાખલ કર્યાં, તે જોઈ જવું જોઈએ. ૨૫૦૦ વર્ષ પહેલાં આર્યાવર્તની ધર્મભાવનામાં મહાન પરિવર્તન શરૂ થયું હતું. ઉપનિષદ્ અને ગીતાનાં વિશુદ્ધ તત્ત્વો લુપ્તપ્રાય થયાં હતાં, અને તેનું સ્થાન માત્ર અર્થહીન આચારો, હેતુશૂન્ય વિધિઓ અને કંટાળાભરેલી ક્રિયાઓની પરંપરાએ લીધું હતું. પારમાર્થિક રહસ્યની છેક જ વિસ્મૃતિ થઈ હતી, અને દેવ-દેવીઓની સંખ્યા એટલી ઝડપથી વધતી ચાલી હતી કે તે સર્વને સંતુષ્ટ રાખવાના મહાન બોજામાં મનુષ્યોને પોતાના આત્મકલ્યાણનો અવકાશ જ રહેતો નહોતો. જે ગૌરવ, જે સન્માન અને જે મહત્ત્વ પોતાના ગુણ અને કાર્યના પ્રભાવથી પૂર્વે સ્વીકારાતા હતા, તે હવે બ્રાહ્મણો પોતાના પરંપરાગત હક્ક તરીકે ગણવા લાગ્યા હતા. જ્ઞાતિની મર્યાદાઓ અત્યંત સાંકડી થઈ ગઈ હતી, અને સ્થૂળ કીમતના બદલામાં બ્રાહ્મણો લોકોને પારમાર્થિક ધ્યેયની લાલચ આપી, તેમની વતી ક્રિયાકાંડમાં પ્રવર્તતા હતા. સમાજની શ્રદ્ધાને અધમ રસ્તા ઉપર ઘસડવામાં આવતી હતી; Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy