SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેનો અણઘટતો લાભ તે કાળના બળવાન વિભાગે-બ્રાહ્મણોએ લેવા માંડ્યો હતો. ધર્મભાવનાનું જીવંતપણું વિલુપ્ત થઈ માત્ર સંપ્રદાયનું સાંકડાપણું અને ક્રિયાકાંડની જડતા અવશેષ રહી હતી. પ્રભુ મહાવીરના કાળથી પાંચસો વર્ષ ઉપર લગભગ આવી જ વસ્તુસ્થિતિ હતી. પ્રભુની વિદ્યમાનતામાં પણ ખેદ ઉપજાવે તેવા યજ્ઞ-યાગો પૂરજોશથી ચાલતા હતા, છતાં સદભાગ્યનો વિષય એ હતો કે તે કાળે કેટલાક સમજુ ઋષિઓ એવી ક્રિયાઓનું તુચ્છપણું સ્પષ્ટરૂપે જોઈ શક્યા હતા, એટલું જ નહીં પણ પારમાર્થિક શ્રેય માટે તેનું -ક્રિયાકાંડોનું નિરુપયોગીપણું સમાજને દર્શાવી આપ્યું હતું, અને તેમણે ઉપનિષદોની રચના કરી તેનાં રહસ્યો તરફ તેમનું લક્ષ ખેંચ્યું હતું. અસંખ્ય હાના-મ્હોટા દેવોને હડસેલી પાડી તેનું સ્થાન સમસ્ત નિસર્ગનું મહારાજ્ય, જે એક પરમ તત્ત્વ વડે વ્યાપી રહ્યું છે, તેને આપવામાં આવ્યું હતું. વરુણ, અગ્નિ, સૂર્ય વગેરે અનેક સત્ત્વોને પ્રસન્ન રાખવા અને તેઓ જગતના વ્યવહારમાં ડખલ ન કરે, તે માટે યજ્ઞાદિકથી સંતોષવાનો પ્રચાર, પરમબ્રહ્મની વિશુદ્ધ ભાવનાના, બળવાનપણાથી ગૌણપણાને પામ્યો હતો, અને તેથી બ્રાહ્મણોની વૃત્તિના સ્વાર્થી અંશને આઘાત પહોચવા પામ્યો હતો. તેમ છતાં પણ ઉપનિષદનાં રહસ્યોથી સમાજનો ડાહ્યા અને પ્રગતિશીલ વિભાગ ઉપર એવી ઉત્તમ અસર થઈ હતી, કે ઘણા કાળપર્યત યજ્ઞાદિક ક્રિયાકાંડનું જોર પ્રવર્તી શક્યું નહીં. સમાજનું લક્ષ, પ્રાકૃતિક સત્ત્વોને ખાસ કરીને સંતુષ્ટ રાખવા તેના કરતાં પારલૌકિક જીવન અને આત્માના સ્વરૂપસંબંધે બહુ આવેગપૂર્વક આકર્ષાયું હતું. છતાં એ સ્થિતિ ઘણો કાળ નભી શકી નહીં. લગભગ ત્રણસે-ચારસે વર્ષ સુધી તેની અસર જૂનાવિકપણે રહી, પણ મહાવીર દેવના આવિર્ભાવ કાળે તે જરી-પુરાણાં સત્ત્વો-સામર્થો પાછાં બળમાં આવી ગયાં હતાં. તાત્ત્વિક વિભાગ તરફ લોકોની રુચિ મંદ પડી ગઈ હતી. ધર્મગુરુઓ લાંચ-રૂશ્વત લઈ સ્વર્ગ અને મોક્ષ સુધીનો પરવાનો આપવાની ધૃષ્ટતા બતાવવા લાગ્યા હતા. શાસ્ત્રાભ્યાસ કે સ્વતંત્ર વિચારણા માટે બ્રાહ્મણો સિવાય કોઈને પણ અધિકાર હોય એમ મનાતું જ નહોતું. યજ્ઞાદિક કર્મના અધિકાર માટે બ્રાહ્મણ, ક્ષત્રીઓ અને વૈશ્યો વચ્ચે જબરી તાણાવાણી ચાલી રહી હતી. આચાર-વિચારના નિયામક સૂત્રોમાંથી અર્થ ઊડી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy