SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 10 પૂર્વભૂમિકા) પ્રભુના અવતરણનું મહત્ત્વ મહાવીર પ્રભુના અવતરણનું મહત્ત્વ શેમાં સમાયેલું હતું, અથવા જે સમાજ કે દેશમાં તેઓ અવતર્યા હતા, તેમનું કલ્યાણ સાધવા માટે કેવાં વિનોની સામે તેમને થવાનું હતું તે ઉપર પ્રસંગોપાત આપણે દૃષ્ટિ ફેરવવી જોઈએ. આ વિશ્વક્ષેત્ર ઉપર દેવી અને જગદુદ્વારક તનુઓના પ્રાદુર્ભાવમાં પ્રવર્તતાં અનેક નિમિત્તોનું અવલોકન કરતાં જણાય છે કે જ્યારે સમાજ અથવા પ્રજાનો એક બળવાન અને સત્તાધારી વિભાગ પોતાના સ્થૂળ સ્વાર્થનું રક્ષણ કરવા માટે અસત્ય અને અધર્મનો પક્ષ લઈ પોતાથી અલ્પ શક્તિમાન વિભાગને સત્યથી વંચિત રાખે છે ત્યારે તે આક્રમિત અને પરાજિત થયેલ સત્યની ભસ્મમાંથી એક એવું દિવ્ય સ્કુલિંગ પ્રગટે છે કે જેની પ્રખર જ્વાળામાં આખરે અધર્મ અને અનીતિનો લય થાય છે. અને તેમ હોવાથી એ દિવ્ય ફુલિંગમાં-એ દિવ્ય વિભૂતિના પ્રાદુર્ભાવમાં જેટલો નીતિનો નહીં તેટલો અનીતિનો, અને ધર્મનો નહીંતેટલો અધર્મનો ફાળો હોય છે. પરાભવ પામેલા સત્યને તેના મૂળ ગૌરવયુક્ત સ્થાન ઉપર પ્રતિષ્ઠિત કરવા અર્થે જ મહાપુરુષોનું અવતરણ હોય છે. દેવી અને આસુરી તત્ત્વોના વિગ્રહમાં જ્યારે આસુરી તત્ત્વ પોતાના ઉચ્ચ પ્રકારના સ્થળ બળના પ્રભાવથી દેવી સત્યને દબાવી દે છે, અને પોતાનું અધર્મશાસન પ્રવર્તાવે છે ત્યારે તેના પ્રતિશાસક તરીકે દૈવી સત્ત્વનો પક્ષ લઈ અસત્યનું નિકંદન કરવા માટે કુદરતના ગર્ભાગારમાંથી એક અમોઘ વીર્યવાન આત્મા જન્મે છે. આ મહા સત્ત્વને લોકો “અવતારની સંજ્ઞા આપે છે. તેવા પુરુષોના અવતરણનો હેતુ, જગતની સર્વદલીય પ્રગતિનાં અવરોધક કારણોને દૂર કરવાનો હોય છે. મહત્તા એ એકલા સામર્થ્યને લઈને નથી, પણ વિનોનો પરિહાર કરવામાં તે સામર્થ્યનો જે ઉપયોગ થાય છે તેને લઈને છે. અને તે પણ જેટલા પ્રબળ અંતરાયો અને પ્રતિબંધો સામે લડવામાં તે વપરાયું હોય તેટલા પ્રમાણમાં જ છે. જગતમાં જે જે મહાન પુરુષો મહત્તા પ્રાપ્ત કરી ગયા છે, તે માત્ર તેમના અંતર્ગત સામર્થના પ્રભાવથી જ નહીં, પણ સામર્થ્યને અધર્મની સામે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy