SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ શ્રી મહાવીર તેનું દુ:ખ ટળતું હોય અથવા જૂન થતું હોય છતાં આપણે તેની ઉપેક્ષા કરીએ અને માત્ર સમભાવ દર્શાવી ચાલ્યા જઈએ તો તેવા સમભાવ (!)ને દયાના નામથી સંબોધવું, એ દયાના વાસ્તવ સ્વરૂપની મશ્કરી કરવા તુલ્ય છે. ખરી દયાનો મનમાં ઉદય થાય તો કૃતિ શ્યા વિના તેને નિરાંત વળે જ નહીં. જેનો જેને “ભાવદયા” કહે છે તે ભાવના, આ કાળે લોકોના મનમાં એવી અસ્તવ્યસ્ત રૂપમાં રહી છે કે ઘણીવાર માત્ર હવાઈ કિલ્લા અને શેખચલ્લીપણાને ભાવદયાની સંજ્ઞાથી પ્રબોધવામાં આવે છે. પરંતુ ભાવદયાનું સ્વરૂપ તેવું નથી. બીજાના દુઃખની સ્થિતિનો તદ્રુપ અનુભવ, તે પછી તે સ્થિતિ પ્રત્યે આપણી સમદુ:ખિતા અથવા અનુકંપા (સામાના હૃદયકંપને આપણું હૃદય અનુસરે તે ક્રિયા) અને ત્યાર પછી હૃદયાર્દ્રતા અને ત્યાર પછી સ્વાર્થત્યાગ. એટલી હૃદયની સામગ્રીના સમુચ્ચયને ભાવદયા કહેવી જોઈએ. તેટલી સામગ્રી તૈયાર થયા પછી કૃતિ થવામાં કાંઈ જ વાર હોતી નથી. માત્ર એક ટકોરાની જ અપેક્ષા હોય છે. કૃતિનું ઉપાદાન કારણ, ઉપરોક્ત સામગ્રીનો સમૂહ જ છે, અર્થાત તે કૃતિનો પૂર્વ પર્યાય છે. એમ બનવા યોગ્ય છે કે એટલી સામગ્રી છતાં ઘણીવાર તેવા ભાવદયાવાળા મનુષ્યથી કૃતિના પ્રદેશમાં જવાતું નથી. કેમકે તેની કૃતિથી સામા મનુષ્યનું દુઃખ ટળે તેમ ન હોય તો તે કૃતિનો નિષ્ફળ વ્યય થાય છે અને તેથી તેની સારાસાર વિવેકશક્તિ તેને કૃતિમાં ઊતરતાં રોકે છે. છતાં તેવી ભાવદયાથી તેને તો જે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy