SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનવિસ્તાર ૮૭ તો પણ તેમાં દુ:ખિતનું શું વળ્યું ? કદાચ તેવી શુભ લાગણીમાં કાંઈ તાણીતોડીને લાભ શોધવા જઈએ તો એટલું કહી શકાય કે તેથી આપણો સમભાવ (sympathy)નો અભ્યાસ વધે છે અને તેથી કલ્પના વડે જગતના દુ:ખની સાથે સંબંધમાં આવતા, આપણા સુખમાં ઉન્મત્ત બનતા અટકીએ છીએ અને દુઃખની વખતે કલ્પનામાં સહેલા દુઃખના અભ્યાસના બળથી, કાંઈક ટ્ટાર રહી શકીએ છીએ. પણ આ લાભ એ કાંઈ મહત્ત્વનો નથી અને મહત્ત્વનો ગણીએ તો પણ તે લાભ બીજી રીતે પણ મેળવી શકાય તેમ છે. આપણાથી વધારે સુખીના સુખની સાથે આપણા સુખનો મુકાબલો કરવાથી આપણી ઉન્મત્તતા અને મદ હેઠા બેસી જાય છે અને દુઃખની વખતે આપણા કરતાં વધારે દુઃખી જનોના દુઃખની સાથે આપણા દુ:ખનો મુકાબલો કરવાથી દુઃખમાં દબાઈ જતા અટકીએ છીએ અને સંતોષ માની રહી શકીએ છીએ, માટે માત્ર ભાવ અથવા ચિંતનાત્મકપણાની ભૂમિકા વળોટી કૃતિના પુણ્ય પ્રદેશમાં પ્રવેશવું એમાં જ ખરી ઉદારતા, હૃદયવિસ્તાર અને સ્વાર્થ-ત્યાગ સમાયેલ છે. કોઈને દુઃખી થતો જોઈને આપણામાં તેનું દુઃખ નિવારવાની શક્તિ હોય છતાં માત્ર તેના દુઃખ ભણી જોઈ ચિંતવીએ કે “અરેરે ! આ બિચારો કેવો પીડાય છે ?” તો આ ભાવના એ દયા નથી, પણ અદયા છે – નહીં નહી, નિર્દયતા છે. એટલે અંશે તેનું દુઃખ નિવારવાની આપણી શક્તિ વધારે તેટલે અંશે આપણી નિર્દયતા પણ વધારે ગણાવા યોગ્ય છે. આપણા સહજ પ્રયત્નથી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy