SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ છે. આત્માના વિકાસ અર્થે ત્યાગ એ અત્યંત આવશ્યક હોવાથી જ દાન આદિકનો આટલો બધો મહિમા શાસ્ત્રકારો ગાય છે. દાન પોતે કાંઈ જ મહત્ત્વની વસ્તુ નથી, પણ દાન થતાં પહેલાં થવો જોઈતો કૃપણતાનો-સંકીર્ણતાનો લોપ, એ જ ખરી મહત્ત્વની વસ્તુ છે. જો તેવો લોપ સધાયા વિના અન્ય ક્ષુદ્ર હેતુથી જો દાનરૂપ ક્રિયા પ્રગટે છે, તો તે દાન કરનારને ઊલટી હાનિ કરનાર છે, કેમકે તેવી ક્રિયાથી તેની કીર્તિ-લોભ આદિ હલકી વાસનાઓ પોષણ મેળવી બળવાન થાય છે. આમ હોવાથી જ મહાવીર પ્રભુ જેવા પરમ પુરુષને ભોજનનું દાન આપનાર નગરશેઠને જે ફળ મળ્યું તે માત્ર નહિવત્ જ હતું અને જિનદત્ત કે જે કશું જ આપી શક્યો નહોતો તેણે પોતાની ઉત્કૃષ્ટ ભાવના વડે ઉત્કૃષ્ટ ફળ મેળવ્યું હતું. શ્રી મહાવીર (૨) કર્તવ્ય અર્થે જે પ્રયત્ન આવશ્યક છે, તે પ્રયત્ન વિનાનો ખાલી મનોરથ પણ તેટલો જ ફળહીન છે. ગમે તેવી મહાન પારમાર્થિક ભાવના પણ જો માત્ર ચિંતનમાં જ અટકી રહે તો તે નકામા જેવી જ છે. ચિંતન(feeling)ને સંકલ્પ(willing)ના પ્રદેશમાં આગળ ધકેલાય અને ત્યાંથી કૃતિ(action)ની પૂર્ણતાએ લવાય, તો જ તે કૃતિના મૂળમાં રહેલું ચિંતન સફળ ગણી શકાય. ચિંતનનો મહિમા માત્ર કૃતિના એક સાધન તરીકે છે. જે ચિંતનને સંકલ્પ અને કૃતિ અનુસરતાં નથી, તે ચિંતન આપણને અને જગતને ઉભયને વ્યર્થ છે. કેમકે આપણે પારકાને દુ:ખે ગમે તેટલા દુ:ખી થઈને બેસી રહીએ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy