SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનવિસ્તાર તેથી બીજાના સંબંધમાં કરેલો તેવો પરોપકારરૂપ પ્રયત્ન નિષ્ફળ જ જાય છે, પરંતુ પરોપકાર કરનારના તેના પ્રયત્નનું બીજ તેની સ્વાર્થત્યાગની ભાવનામાં હોવાથી તે તો શુભ ફળ મેળવે જ છે. જો તેમ ન હોત અને ફળનો આધાર માત્ર એકલી સ્થૂળ અને ભાવનાહીન કૃતિ ઉપર જ હોત તો આ વિશ્વમાં કોઈ દ્રવ્યહીન મનુષ્યથી પોતાનું કલ્યાણ બની જ શકત નહીં અને માત્ર એકલા ધની પુરુષો જ પોતાના દ્રવ્યના વ્યય વડે પારકાનું અને પોતાનું ખરું કલ્યાણ કરી શકત, અને તેમ થયેથી શાસ્ત્રકારોને પણ નિષ્કંચનત્વનો બોધ આપવાને બદલે ગમે તેમ કરી પુષ્કળ પઈસો ભેગો કરી પરમાર્થો કરવાનો એકાંત ઉપદેશ આપવો પડત. પરંતુ જ્યારે તેમ નથી ત્યારે આપણને સ્પષ્ટ થાય છે કે સ્વયં કૃતિમાં ફળદાયિત્વ નથી પણ તે કૃતિની પાછળ રહેલી પોતાની સ્વાર્થત્યાગની ભાવના સિવાયનો ત્યાગ એ ઘણીવાર અભિમાનનો પોષક થાય છે અને તેથી તે કૃતિ, તેના કરનારનું તેમ જ જેમના સંબંધે તે કરાય છે, તેમનું પણ હિત કરી શકતી નથી. દર્દી સામા મનુષ્યનો સત્કર્મનો ઉદય નજીક હોય તો તેના નિમિત્તે તે કૃતિ તેને ફળે છે. પરંતુ આપણને મળવાના ફળનો આધાર સામા મનુષ્યને તે કૃતિ સફળ થઈ છે કે નિષ્ફળ થઈ છે તે ઉપર નથી, પરંતુ તે કૃતિ આપણા કેટલા સ્વાર્થ-ત્યાગના પરિણામરૂપે છે તેના ઉપર છે. ટૂંકામાં, બીજાનો પરોપકાર કરવામાં મનુષ્ય પોતાનો જ ઉપકાર સુખરૂપ થવો યા ન થવો એ તેના પોતાના કર્મ ઉપર નિર્ભર Jain Education International 2010_03 ૮૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy