SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ શ્રી મહાવીર (૧) બંધનો નિર્ણાયક હેતુ પરિણામ અથવા ભાવના છે, કર્મ (action) નથી. એકલા કર્મથી આપણે આપણું કે કોઈનું કશું જ હિત કરી શકતા નથી. આપણા ગમે તેવા ભારે પ્રયત્નથી પણ આપણે કોઈનું સ્વલ્પ પણ દુઃખ ટાળી શકીએ તેમ નથી, એ હંમેશાં સ્મૃતિમાં રાખવાનું છે. વિશ્વ પ્રત્યે કાંઈ પણ પરોપકાર કરવામાં આપણે વિશ્વનું કલ્યાણ કરી નાખીએ છીએ, એમ જો કોઈ માનતું હોય તો તે ઠગાય છે. એટલું જ નહીં પણ પારકાનું હિત કરવારૂપ અભિમાનવાળી ભાવનાથી ઊલટો પોતે વિશેષ બંધાય છે. દુનિયા આપણા જેવા સુદ્ર જંતુઓના પરોપકારની રાહ જોઈ બેઠી નથી કે આપણે ખાલી તેવી અહંતાથી ફુલાઈએ ! ખરી રીતે મનુષ્યોનો પરોપકાર કરવાનો પ્રયત્ન બીજાના હિતનો નહીં પણ પોતાના હિતનો સાધક છે અને તે સ્વહિતના પ્રમાણનો આધાર, તે પરોપકારી કૃત્યના સ્થળ પ્રમાણ ઉપર નહીં, પણ જે સ્વાર્પણની ભાવનામાંથી તે કૃતિ ઉદ્દભવે છે તેના ઉપર છે. બીજું કાંઈ હિત થવું યા ન થવું તે તેમની પોતાની કર્મની વિચિત્રતા ઉપર આધાર રાખે છે. પરંતુ આપણા હિતકર ચિંતન અને કાર્યથી આપણને તો તેમાં અંતર્ગત રહેલા સ્વાર્થત્યાગના તારતમ્ય અનુસાર જરૂર ફળ મળે જ છે. આથી આપણને જે ફળ મળે છે, તે આપણી કૃતિમાંથી નહીં, પણ તે કૃતિના મૂળમાં તેના આત્મારૂપે રહેલી સ્વાર્પણની ભાવનામાંથી મળે છે. ઘણીવાર આપણાં કર્તવ્યો બીજને સુખરૂપ થઈ શકે તેટલાં સંપૂર્ણ અથવા પ્રબળ હોતાં નથી, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy