________________
૯૨
વિવિધા
વર્ણન છે. ‘૩થ યં Oિ યોતાને નાનાપુમ સીમાસ્તં નામ ના નવીપદ્વતિfમાં रमणीय भूमिप्पदेसभागं आरामच्यानी पवन तडाग पोकखागी अने पोतान। पतिवादी મિલિન્દના પૂર્વજન્મના વર્ણનમાં ખૂબ ઉત્સુકતા બતાવી છે, તો પણ પોતાના વર્તમાન જન્મ અને કર્મના વિષયમાં વિશેષ જાણવાનો આપણને અવકાશ આપ્યો નથી.
સ્થવિર નાગસેનનો જન્મ મધ્ય દેશની પૂર્વ સીમા પર સ્થિત, હિમાલય પર્વતની સમીપમાં કજંગલા નામના પ્રસિદ્ધ પ્રદેશમાં થયો હતો. તેમના પિતાનું નામ સોણત્તર હતું, તે એક બ્રાહ્મણ હતા. ત્રણ વેદ, ઇતિહાસ અને લોકાયત શાસ્ત્રનું જ્ઞાન પરાપ્ત કરીને નાગસેને સ્થવિર રોહણ પાસે બુદ્ધ-શાસનમ્ સંબંધી જ્ઞાન પ્રાપ્ત કર્યું અર્થાત્ બૌદ્ધ ધર્મમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તે વત્તનિય સેનાસનના સ્થવિર અસગુત્ત (અશ્વગુપ્ત)ની પાસે ગયા અને તેમની પાસેથી વિશેષ જ્ઞાન મેળવ્યું, ત્યાં જ એમને સોતાપન્ન (સોત આપન્ન) ફળની પ્રાપ્તિ થઈ. ત્યાંથી તેમેન પાટલિપુત્ર મોકલવામાં આવ્યા, જ્યાં તેમણે સ્થવિર ધર્મરક્ષિત પાસે બૌદ્ધધર્મનો ઊંડાણથી અયાસ કર્યો. અહીં જ એમને અહેવફળની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી તે સાગલના સંખેય પરિવેણમાં ગયા, ત્યાં રાજા મિલિન્દ સાથે તેમનો મેળાપ થયો. મિલિન્દની વિદ્વતાનું વર્ણ કરતા તેણે શ્રુતિ, સ્મૃતિ, સાંખ્યયોગ, વૈશેષિક વગેરે ૧૯ શાસ્ત્રોનું મનનશીલ અભ્યાસ કર્યો હોવાનું દર્શાવ્યું છે. તે સંપૂર્ણ રીતે તર્કવાદી, વિતંડાવાદી અને વાદવિવાદમાં અજેય હતા; તેવું પણ જણાવ્યું છે. મિલિન્દને દાર્શનિક વાદ-વિવાદમાં ખૂબ રુચિ હતી. અને તેણે “લોકાયત” સમ્પ્રદાય વગેરેના અનુયાયીઓ અને વિચારકોને વાદવિવાદમાં પરાજિત ર્યા હતા. તેણે બુદ્ધકાલીન છ મુખ્ય સાંપ્રદાયિક આચાર્યોની ગાદી પર પ્રતિષ્ઠિત અને તેમના જેવાં જ નામ ધારણ કરનાર છ પ્રધાન આચાર્યો – જેમ કે પૂર્ણકસ્સા, મકખલિ ગોસાલ, નિગષ્ઠ નાથપુત્ત, સંજય વેલદ્ધિપુત્ત, અજિત કેસકમ્બલિ અને પુકધ કચ્ચાયનનાં નામ પણ પોતાના મંત્રીઓ દ્વારા સાંભળ્યાં હતાં. તેમાંથી પ્રથમ બે આચાર્યોને તે મળ્યો હતો, પણ તેના મનનું સમાધાન થયું ન હતું. અને તે અભિમાનપૂર્વક એમ માનવા લાગ્યો હતો કે “તુચ્છી બત ભો જમ્બુ દીપી પલાયો, વત ભી જબુદીપો નલ્થિ કોચિ સમણી વા બ્રાહ્મણો યો મયા સદ્ધિ સલ્લપિતું સક્રોતિ કંખ પટિવિનો દેતુંત - “તુચ્છ છે ભારતવર્ષ પ્રલાય માત્ર છે ભારતવર્ષ. અહીં એવા શ્રમણ કે બ્રાહ્મણ નથી કે જે મારી સાથે વાદવિવાદ કરીને મારા સંદેહોનું નિવારણ કરે.” મિલિન્દના આ શબ્દોમાં બુદ્ધિવાદી ગ્રીક જ્ઞાન વિશેનું ગૌરવ અને અહંકારવૃત્તિ દેખાય છે. પણ અંતમાં ભારતીય રાષ્ટ્રના ગૌરવ સમાન મહા જ્ઞાની ભદન્ત નાગસેન સાથે તેનો મેળાપ થયો. નાગસેનના જ્ઞાનની પ્રશંસા કરતા કહેવાયું છે કે તેમણે નાની વયમાં જ નિઘંટુ, ત્રણ વેદો, ઇતહાસ, વ્યાકરણષ લોકાયત વગેરે શાસ્ત્રોમાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી હતી. પ્રવજિત થયા પછી તેમણે અભિધમ્મનાં સાત પ્રકરણો તથા અન્ય ધર્મરક્ષિત નામના ભિક્ષુ સાથે પાટલિપુત્રમાં નિવાસ કર્યો હતો. ત્યારબાદ આયપાલ નામના ભિક્ષુના નિમંત્રણથી તે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org