SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મિલિન્દપ્રશ્ન: ગ્રંથપરિચય ૯૧ વિન્ટરનિટ્સ વગેરે પાશ્ચાત્ય વિદ્વાનોનો એવો મત છે કે ‘મિલિન્દ પ્રશ્ન' માં મૂળ ત્રણ અધ્યાય હતા. ચારથી સાત અધ્યાય તેમાં પાછળથી ઉમેરવામાં આવ્યા છે.' તે ઉપરાંત પ્રસ્તુત પાલિ “મિલિન્દ પ્રશ્ન' માં ત્રીજા અધ્યાયના અંતમાં જણાવ્યું નવેસરથી પ્રસ્તાવના કરે છે. વક્તા, તર્કપ્રિય, અત્યંત, બુદ્ધવિશારદ (રાજા) મિલિન્દ જ્ઞાનવિવેચનને માટે નાગસેનની પાસે આવ્યો'. ત્રીજા અધ્યાયમાં પ્રશ્નોત્તરની સમાપ્તિ થયા પછી, પુનઃ વિષયનો આરંભ કરવામાં આવ્યો છે, એવું વિદ્વાનો માને છે. વિન્ટરનિટ્ઝ આગળના ત્રણ અધ્યાયોમાં પણ પરિવર્તન અને પરિવર્ધન થયું હાવાની શક્યતા દર્શાવી છે. પાલિ “મિલિન્દ પ્રશ્ન અને ચીની ભાષામાં પ્રાપ્ત તેના અનુવાદરૂપ ગ્રંથ “નાગસેન-સૂત્રમાં જોવા મળતી વિભિન્નતા અને આ આંતર-બાહ્ય પુરાવાઓને આધારે એક નિષ્કર્ષ એવો કાઢવામાં આવ્યો છે કે પાછળના ૪ થી ૭ અધ્યાય મૂળ ગ્રંથમાં ન હતા. જો કે તેની સામે એવી દલીલ કરવામાં આવે છે કે ચીની અનુવાદક ગ્રંથના સાત અધ્યાયનો અનુવાદ કરવાને બદલે ત્રણનો જ અનુવાદ કર્યો હોય, એ પણ શક્ય છે અથવા બાકીનો અનુવાદ નષ્ટ થયો હોય ! તથા બુંદ ઘોષે આપેલાં અવતરણોનાં સંદર્ભમાં જણાવવામાં આવે છે કે તેમને બાકીના ચારથી સાત અધ્યાયોનાં અવતરણોની આવશ્યકતા ઊભી ન થઈ હોય, તેથી તે ઉદ્ધરણો તેમના ગ્રંથોમાં લેવામાં આવ્યાં નથી. આમ “મિલિન્દ પ્રશ્ન' ના સ્વરૂપ વિશે અનેક મતમતાન્તરો છે. તેમ છતાં તેમાં થયેલા પરિવર્ધનની સંભાવનાનો ઈન્કાર થઈ શકે તેમ નથી. | ‘મિલિન્દ પહ' નું વિષય વસ્તુ સાત ભાગ અથવા અધ્યાયોમાં વિભક્ત છે : ૧. બાહિરકથા, ૨. લખણ પહો, ૩. વિમતિચ્છેદન પહો, ૪. મેડક પહો, ૫. અનુમા પહે, ૬, ધુતંગ કથા અને ઓપન્મકથા પહો. “બાહિરકથા‘મિલિન્દ પગ૭ ની ભૂમિકા છે. સર્વ પ્રથમ લેખકે અભિધર્મ, વિનય અને સૂત્રો પર સમાશ્રિત, જેમાં અનેક વિચિત્ર ઉપમાઓ અને યુક્તિઓ પ્રકાશિત કરવામાં આવી છે તેવી નાગસેન વિશેની આશ્ચર્યકારક જણાતી નાગસેનની કથાને સાવધાનપણે જ્ઞાનપૂર્વક અને બુદ્ધિશાસના સંબંધી સંદેહોના નિવારણ માટે સાંભળવાનો આદેશ કર્યો છે. अभि घम्म विनियोगत्ठहा सुतभलसमत्थिता, नागसेनकथा चित्रा ओपम्मेहि नयेहि च, तत्थ त्राणं पणिधाय हासयित्वान मानसं, सुणाथ निपुणे पम्हे कंखाठान. ત્યારબાદ ગ્રીક રાજા મિલિન્દની રાજધાની સાગલનું રમણીય કાવ્યમય Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy