SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ વિવિધા નાગસેનનો સંવાદ. ‘મિલિન્દપ્રશ્ન'ની ઐતિહાસિકતા પ્રમાણિત કરવા માટે એક અન્ય મહત્ત્વનો પુરાવો પણ મળે છે. ભારતમાં લગભગ ૨૨ સ્થળેથી-મુખ્યત્વે મથુરામાંથી-ગ્રીક રાજા મનાલ્ડરના સિક્કા મળે છે. જેની ઉપર “વેસિલિયસ સોટિલ્સ મેનન્ઝોસ' એવું લખેલું છે. અને તે સિક્કાઓ પર ધર્મચક્રનું નિશાન પણ છે, જે તેનું બૌદ્ધ ધર્મવલંબી હોવાનું પણ સૂચવે છે. “મિલિન્દપ્રશ્ન” અનુસાર ભદ્રત્ત નાગસેનનો ઉત્તરોથી સંતુષ્ટ પુત્રને સોંપીને વિજ્યા લીધી હોવાના અને અર્વ પદ પ્રાપ્ત કગર્યાના ઉલ્લેખો પણ મળે છે. ગ્રીક ઇતિહાસ લેખક “લૂટાર્કનું કહેવું છે કે મેનાડરના મૃત્યુ બાદ તેનો અસ્થિઓ ઉપર સૂપ બાંધવામાં આવ્યો હતો. આ સર્વ હકીકતો મિલિન્દ રાજા બૌદ્ધ હોવાની સાક્ષી આપે છે. રચનાકાર : ગ્રીક રાજા મેનાર અને ભદન્ત નાગસેનના સંવાદના રૂપમાં આ ગ્રંથ લખાયો હોવાનો નિશ્ચિત ઐતિહાસિક પુરાવાઓ મળવા છતાં, તેના રચનાકાર, ગ્રંથનું સ્વરૂપ, તેમાં થયેલું પરિવર્તન કે પરિવર્ધન-વગેરે વિશે અનેક પ્રશ્નો ઉદ્દભવે છે. આ ગ્રંથના રચનાકાર તરીકે સામાન્ય રીતે ભદન્ત નાગસેનને જ માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મ સંબંધી શંકાઓનું નિવારણ કરતા ભદન્ત નાગસેને આપેલા ઉત્તરો ગ્રંથનું મહત્ત્વનું વિષયવસ્તુ છે. ગ્રંથના નાયક હોવાની સાથે સાથે તે ગ્રંથના રચનાકાર હોવાની બાબતમાં ખાસ મતભેદ નથી. આવી નિર્વયોક્તિતા ભારતીય સાહિત્યમાં અનેક વાર જોવા મળે છે. જો કે શ્રીમતી રાયસ ડેવલ્સ ગ્રંથના રચયિતાનું નામ માણસ હોવાનું કહે છે, પણ તે માટે કોઈ ઐતિહાસિક પુરાવાઓ મળતા નથી. ગ્રંથમાં પરિવર્ઘન : - વિશેષતઃ પશ્ચિી વિદ્વાનો દ્વારા એવું કહેવામાં આવે છે કે ‘મિલિન્દ પ્રગ્ન' એક જ સમયે રચાયેલો ગ્રંથ નથી. ભિન્ન ભિન્ન સમયમાં ભિન્ન ભિન્ન લેખકો દ્વારા એની રચના કરવામાં આવી છે. પરિચ્છેદોની એકબીજાથી જોવા મળતી ભિન્નતા તથા તેની શૈલી અને વિષયવસ્તુની અનેકવિધતાને કારણે એવું માનવામાં આવે છે કે મૌલિક રૂપમાં આ ગ્રંથ નાનો હશે. સંભવતઃ તે મિલિન્દ અને નાગસેનના સંવાદના સંક્ષિપ્ત વિવરણના રૂપમાં હશે, પણ પાછળથી સ્થવિરવાદ બૌદ્ધ ધર્મની દૃષ્ટિએ જે મહત્ત્વપૂર્ણ વિષયો હતા તેને મૂળ ગ્રંથની શૈલી અનુસાર તેમાં ઉમેરવાના પ્રયત્ન કરવામાં આવ્યા. ગ્રંથનું હાલનું વિસ્તૃત સ્વરૂપ આ પરિવર્તનના પરિણામરૂપ છે. મિલિન્દ પ્રશ્ન' ગ્રંથના પ્રસ્તુત સ્વરૂપ વિશે અનેક મતમતાન્તરો પણ છે. એમ પણ કહેવાયું છે કે તે મૌલિક રીતે સંસ્કૃતમાં તેની રચના થઈ હતી, અને પાલિમાં તેનું રૂપાંતર કરવામાં આવ્યું હતું. આ ગ્રંથનો ચીની અનુવાદ ઈ.સ. ૩૧૭ થી ઈ.સ. ૮૨૦ વચ્ચે થયો હોવાનું મનાય છે. પાલિ ‘મિલિન્દ પ્રશ્ન' માં કુલ ૭ અધ્યાય છે, જ્યારે ચીની અનુવાદ ફક્ત પહેલા ત્રણ અધ્યાયનો જ મળે છે. તથા આચાર્ય બુદ્ધઘોષે “મિલિન્દ પ્રશ્ન નાં જે અવતરણો ઉદ્ધત કર્યા છે, તે પ્રથમ ત્રણ અધ્યાયનાં જ છે. તેને આધારે પ્રો. ગાયગર, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy