________________
મિલિન્દપ્રશ્ન : ગ્રંથપરિચય
હિમાચલ પ્રદેશના અસંખેય પરિવેણ નામના વિહારમાં ચાલ્યા ગયા. ત્યાં રાજા મિલિન્દ તેમને મળવા આવ્યો. ‘અથ ખો મિલિન્દી રાજા યેનાયસ્મા નાગસેનો
અન્યોન્ય કુશળ સમાચાર અને પરિચય પૃચ્છા કરવામાં જ દાર્શનિક વાદવિવાદનો આરંભ થઈ ગયો. બુદ્ધદર્શનની આધારભૂમિરૂપ વિષયોથી જ પ્રશ્નોત્તરીની શરૂઆત થઈ. બૌદ્ધદર્શનની આધારભૂમિ છે, અનાત્મલક્ષણ, રાજા મિલિન્દ નાગસેનની પાસે આવે છે અને તમનું નામ પૂછે છે. ભત્તે નાગસેન પોતાનું નામ જણાવતાં કહે છે કે મને બધા નાગસેન નામથી ઓળખે છે, પરંતુ વસ્તમવાં તે નામની કોઈ વ્યક્તિ વિદ્યમાન નથી. પરમાર્થરૂપે વ્યક્તિની ઉપલબ્ધિ નથી. ‘પરમત્યતો પનેલ્થ પુગ્ગલો સૂયલભૂતિ'. ભદન્ત નાગસેનની અનાત્મવાદની આ વ્યાખ્યા ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તેમની આ વ્યાખ્યાને બુદ્ધદર્શન વિશેના નિષેધાત્મક વલણ તરીકે જોવામાં આવે છે, તેમ છતાં કેવળ સ્થવિરવાદી બૌદ્ધ સાહિત્યમાં જ નહિ, પરંતુ સંપૂર્ણ બૌદ્ધસાહિત્યમાં, બુદ્ધ વચનો સિવાય, અનાત્મવાદનું આ પ્રકારનું આકર્ષક અને ગંભીર વિવેચન અન્યત્ર મળતું નથી. અનાત્મવાદી સાથે પુનર્જન્મ શૂન્યવાદ, નામ-રૂપ ચાર સત્ય, અષ્ટાંગિક માર્ગ, શીલપ્રજ્ઞા, નિર્વાણ, વગેરે બૌદ્ધદર્શનના સિદ્ધાંતોની ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. ભદન્ત નાગસેને રાજા મિલિન્દ પ્રશ્નો અને સંશયોનો અત્યંત મનોરમ શૈલીમાં ઉત્તર આપે છે. ઉપરથી વિરોધી લાગતા ત્રિપિટકના વિભિન્ન વિવરણો કે બુદ્ધ ચનોનો વિરોધાભાસનો પરિહાર અને તેનો સમન્વય તેમણેએ અસરકારક શૈલીમાં કર્યો છે. અંતમાં પ્રશ્નકર્તા અને ઉત્તરદાતા બંને પોતાના પ્રશ્નોત્તરની સંતુષ્ટ જણાય છે. રાજા મિલિન્દને એમ લાગે છે કે મેં જે પૂછ્યું, તે બધાના ભદન્ત નાગસેને મને ઉત્તર આપ્યા. (સબ્બે મયા પુચ્છિતં'તિ સબં ભદત્તેન નાગસેનેન વિસજિજતંતિ)' રાજા મિલિન્દ અંતમાં બૌદ્ધ ધર્મનાં ઉપાસક બની જાય છે અને યા લઈને બુદ્ધ, ધર્મ અને સંઘનું શરણ સ્વીકારે છે, જે ઇતહાસ સાક્ષ્ય દ્વારા ખરાણિત છે.
૯૩
‘મિલિન્દ પ્રશ્ન’ દાર્શનિક અને ધાર્મિક દૃષ્ટિએ તો એક મહાગ્રંથ છે જ, પરંતુ તે સાથે તેનું ઐતિહાસિક અને સાહિત્યિક મહત્ત્વ પણ ઓછું નથી. સ્થવિરવાદ બૌદ્ધધર્મનો આ કંઠહાર છે, જેની પ્રતિષ્ઠાને કારણે તે બુદ્ધવચનોની સમાન સન્માન્ય છે, તે સાથે ભારતીય સાહિત્યના અમૂલ્ય નિધિરૂપ છે. જોકે લંકા, બર્મા અને સિયામની જેમ આધુનિક ભારતીય લોકભાષાઓમાં ‘મિલિન્દપન્હ’ સંબંધી પ્રચુર સાહિત્યમાં રચાયું નથી, પણ તેથી તેનું મહત્ત્વ ઓછું આંકી શકાય નહિ.
‘મિલિન્દપન્હ’ ઈ.સ. પૂ.ની પ્રથમ શતાબ્દીની પ્રભાવશાળી ભારતીય ગદ્યશૈલીના સર્વોત્તમ નમૂનારૂપ છે. લેખકોના શબ્દાધિકાર અને તેમની શૈલીની પ્રવાહશીલતા, શબ્દોની ઓજસ્વિતા, પ્રભાવશાળી કથન પ્રકાર, ઉપમાઓ અને તાર્કિક પ્રયુક્તિઓ દ્વારા સઘાતુ સહજ અલંકારવિધાન, તેની સરળતા અને પ્રસાદગુણ- આ સર્વ વિશેષતાઓ તેને સાહિત્યિક ગદ્યના નિર્માતાઓની આગલી શ્રેણીમાં સર્વોત્તમ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org