________________
૯૪
વિવિધા
સ્થાને પ્રતિષ્ઠિત કરે છે.
હોવાનું અનુમાન કર્યું હતું, પરંતુ આ એક ભ્રમ છે. ભારતીય પરાધીનતાના યુગમાં અધિકાંશ પશ્ચિમી વિદ્વાનો, ભારત પણ વિશ્વની સંસ્કૃતમાં મૌલિક યોગદાન આપી શકે છે, તેમ માનવી તૈયાર ન હતા. પ્રાચીન વેદ-ઉપનિષદો અને બુદ્ધવચનોની પરંપરા તે સમયે દુઢ થયેલી હતી જ, તેથી તેના પર પ્લેટોના સંવાદો કે ગ્રીક શૈલીની અસર હોવાની દલીલ નિરર્થક છે. તે સમયે તો ભારતીય સંસ્કૃતિના ગૌરવનો સમય હતો, તે ગૌરવ જ “મિલિન્દાહ' માં પ્રતિધ્વનિત થયું છે, તેનાથી પ્રભાવિત થઈને જ બુદ્ધિવાદી મિલિન્દ રાજાએ બૌદ્ધ ધર્મમાં ઉપાસકત્વ ગ્રહણ કર્યું હતું. આ હકીકત ભારતીય જ્ઞાનના મહાન વિજ્યની દ્યોતક છે. તે સમયે સૌથી અધિક જ્ઞાન-સંપન્ન ગણાતા દેશ પર ભારતે મેળવેલા જ્ઞાનવિજય કે ધર્મવિજયનો ‘મિલિન્દાહ’ ગ્રંથ સ્મારક અને પરિચાયકે તે દૃષ્ટિએ તે ભારતીય વાડમયના અમર રત્નોમાંનું એક રત્ન છે. “મિલિન્દ પહ'ની શૈલી, સ્ત્રોત કે પ્રેરણાના મૂળ નિશ્ચિતપણે ત્રિપિટકનાં બુદ્ધવચનોમાં નિહિત છે. “દીનિકાય'ના “પાયામિ સુત” જેવાં સૂત્રોની જીવિત સંવાદશૈલી તેના પ્રેરણારૂપ હોઈ શકે છે. “કથાવસ્તુના અપ્રતિમ આચાર્ય મોગ્ગલિપુત્ત તિસ્સના પણ ભદન્ત નાગસેન ઓછા ઋણી નથી. મોગ્ગલિપુત્તની સમાધાનકારી શૈલી પર જ નાગસેનના અધિકાંશ પ્રશ્નોના ઉત્તરો આધારિત છે. ઉપનિષદોની સંવાદશૈલીની અસર પણ તેમાં જોઈ શકાય.
ઇતિહાસની દૃષ્ટિએ, વિશેષતઃ પાલિ સાહિત્યના ઇતિહાસની દૃષ્ટિએ પણ આ ગ્રંથ મહત્ત્વનો છે. તેમાં ત્રિપિટકના વિવિધ ગ્રંથોના નામ આપીને, પાંચન કિાયો, અભિઘમ્મપિટકના સાત ગ્રંથો અને તેના વિભિન્ન અંગોનો નિર્દેશ કરીને અનેક અંશોનાં ઉદ્ધરણ આપવામાં આવ્યા છે.તેથી એ સ્પષ્ટ રીતે પ્રામાણિત થાય છે કે પાલિ ત્રિપિટક ઈ.સ. પૂ. પ્રથમ શતાબ્દીમાં પાલિ ત્રિપિટક આજે જે સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે, તે સ્વરૂપમાં વિદ્યમાન હતાં. તેવી રીતે “મિલિન્દ પહ'ની કેટલીક વિગતો અશોકના અભિલેખોમાં જણાવેલી કેટલીક વિગતોનું સમર્થન કરે છે.
‘મિલિન્દ પગમાં કેટલાક સ્થળોનું વર્ણન છે - જેમ કે અલસન્દ (એલેક્ઝાન્ડિયા), યવન (યૂનાન, બૈક્ટ્રિયા), ભરુકચ્છ (ભડીચ), ચીન (ચીન-દેશ), ગાન્ધાર, કલિંગ, કજંગલા, કોયલ, મથુરા, સાગલ, સાકેત, સૌરાષ્ટ્ર, વારાણસી, બંગ, તક્કોલ, ઉર્જાની વગેરે, તેનાથી તત્કાલીન ભારતીય ભૂગોળ પર પર્યાપ્ત પ્રકાશ પડે છે.
તેના સારાંશ એ છે કે ધર્મ, દર્શન, સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ- એમ સર્વ દષ્ટિએ “મિલિન્દ પ૭'નું ભારતીય વાગમયના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. અને પાલિ અનુપિટક સાહિત્યમાં તો તેના જેવો મહત્ત્વપૂર્ણ સ્થાન છે. અને પાલિ અનુપિટક સાહિત્યમાં તો તેના જેવો મહત્ત્વપૂર્ણ બીજો કોઈ સ્વતંત્ર છે જ નહિ, તે નિર્વિવાદ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org