SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર ઋષભદેવ અને ગૌતમ બુદ્ધ તીર્થંકર ઋષભદેવ અને ગૌતમ બુદ્ધ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે : यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदाडत्मानं सृजाम्यहम् ।। સૃષ્ટિનું સમયચક્ર જ્યારે ઉત્સર્પિણીમાંથી અવસર્પિર્ણી કાળ પ્રતિ આગળ વધતું જાય છે, ત્યારે તમસઘેર્યા એ યુગમાં પ્રકાશ પ્રસાવનાર કોઈ જ્યોતિર્ધરની આવશ્યકતા અનુભવાય છે. આદિનાથ શ્રી ઋષભદેવ અને ભગવાન બુદ્ધ માનવજાતિને મળેલા આવા મહાન જ્યોતિર્ધર હતા. ભારતીય સંસ્કૃતિ અને કદાચ સમગ્ર માનવજાતિની સંસ્કૃતિના ઉદયકાળે હજી તો ઉષાનું પ્રથમ કિરણ જ ફૂટતું હતું ત્યારે મહાન સંસ્કૃતિના નિર્માણ માટે જ જાણે કે આદિનાથ શ્રી ઋષભદેવનો આ સૃષ્ટિ પર આવિર્ભાવ થયો. કાળના વહેતા પ્રવાહ સાથે તેમણે પ્રવર્તમાન કરેલી સંસ્કૃતિમાં આવેલી વિકૃતિઓની પરિશુદ્ધિ માટે અને તેના પુનઃનિર્માણ માટે લગભગ ઇ.સ.પૂ. છઠ્ઠી સદીમાં ગૌતમ બુદ્ધે, પોતાના વ્યાપક, ગહન ચિંતનથી પ્રેરિત, કઠોર તપશ્ચર્યા અને સાધનાથી પ્રાપ્ત જ્ઞાનદર્શન દ્વારા એક નવી જ જીવનદૃષ્ટિ આપી. તત્કાલીન ધાર્મિક ધારણાઓમાં ક્રાંતિકારી પરિવર્તન, સામાજિક સંરચનાના પુનઃનિર્માણ અને નવાં જીવનમૂલ્યોની પ્રતિષ્ઠા માટે તેમણે સતત પ્રયત્ન કર્યા. મનુષ્યની ચેતના પાર્થિવ સુખો અને ઇન્દ્રિયભોગોની મોહક વાસનાઓથી પર બનીને ઊર્ધ્વ સ્થિતિ પ્રાપ્ત કરવાની સ્વાભાવિક પ્રવૃત્તિથી પણ અનુપ્રેરિત રહી છે. એ ચેતનાને જાગૃત કરીને, જીવનનાં સમગ્ર દુઃખોના કારણરૂપ સાંસારિક તૃષ્ણાનું ઉપશમન કરનાર અને આ જીવનમાં જ વિશુદ્ધ, શાશ્વત આંતરિક શાંતિની અનુભૂતિ કરાવે તેવા ધર્મની પ્રાપ્તિ માટે તેમણે કઠિન સાધના કરી. એ પરમ શાંતિની અનુભૂતિ જ અનિર્વચનીય લોકોત્તર આનંદની સ્થિતિ છે, કે જેને નિર્વાણ, મુક્તિ, મોક્ષ વગેરે કહેવામાં આવે છે. તેમનું જીવન, ચિંતન અને દર્શન નિતાન્ત વૈયક્તિક જ હતું. ૯૫ જૈન ષ્ટિ અનુસાર ભગવાન ઋષભદેવ આત્મવિદ્યાના પ્રથમ પુરસ્કર્તા છે. તેઓ સૌ પ્રથમ રાજા, પ્રથમ જિન, પ્રથમ કેવલી, પ્રથમ તીર્થંકર અને પ્રથમ ધર્મચક્રવર્તી હતા. સહે ગામ અરદા જોતિલ્ પમરાયા, ૫૮નિળે, પમવતી, પઢમતિત્યયો, પઢમધમ્બવાચીવટ્ટી / સમુનિત્શે (જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ-૨, ૩૦) બ્રહ્માંડ પુરાણમાં ઋષભદેવને દસ પ્રકારના ધર્મના પ્રવર્તક તરીકે ગણાવવામાં આવ્યા છે. इह इक्ष्वाकुकुलवंशोदभवेन नाभिसुतेन मरुदेव्या नन्दनेन, महादेवेन ऋषभेण दसप्रकारो ધર્મ: સ્વયમેવ ચીનં: ૫ ( બ્રહ્માંડ પુરાણ) શ્રીમદ્ ભાગવતમાં પણ આ વાતનું સમર્થન મળે છે. અમાં જણાવવામાં આવ્યું છે કે વાસુદેવે આઠમો અવતાર નાભિ અને મરુદેવીને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy