________________
વિવિધા
ત્યાં ધારણ કર્યો હતો. તેઓ ઋષભદેવ તરીકે અવતરિત થયા અને એમણે સર્વ આશ્રમો દ્વારા સંમાનનીય એવો માર્ગ બતાવ્યો. અષ્ટરે વ્યાં તુ નામેíત ૩ : રચન વત્ન થીરાનાં, સર્વાશ્રમનસ્કૃતમ્ (શ્રીમદ્ ભાગવત-૧,૩,૧૩) એટલે ઋષભદેવને મોક્ષધર્મની વિવિક્ષતાથી “વાસુદેવાંશ' કહેવામાં આવ્યા છે. સ્વયં ઋષભદેવને યોગેશ્વર કહેવામાં આવ્યા છે. નવીન 8ષમવો થાનેશ્વર: (શ્રીમદ્ ભાગવત - પ.૪.૨) જૈન આચાર્ય અને યોગવિદ્યાના પ્રણેતા માને છે. ઋષભદેવ એમના વિશિષ્ટ વ્યક્તિત્વને કારણે વૈદિક પરંપરામાં પણ માન્ય રહ્યા છે.
- ઋગ્વદમાં ભગવાન શ્રી ઋષભદેવને પૂર્વજ્ઞાનના પ્રતિપાદક અને દુઃખોનો નાશ કરનાર તરીકે વર્ણવ્યા છે.
ચીન અને જાપાન પણ એમના નામ અને કામથી પરિચિત રહ્યાં છે. ચીની ત્રિપિટકોમાં એમના ઉલ્લેખ મળે છે. જાપાનીઓ એમને “રોકશબ” (Rokshab) તરીકે ઓળખે છે.
મધ્યએશિયા, મિસર અને યૂનાન તથા ફોનેશિયા તેમજ ફણિક લોકોની ભાષામાં એમને રેશેફ કહેવામાં આવે છે, જેનો અર્થ “શીંગડાવાળા દેવતા” થાય છે. જે ઋષભનું અપભ્રંશ રૂપ છે.
- જ્યારે આપણે શ્રી ઋષભદેવ અને ગૌતમ બુદ્ધ વિશે એક સાથે વિચાર કરીએ છીએ ત્યારે તેમના જીવનની બાહ્ય ઘટનાઓ કે પ્રસંગો અને તેમના તત્ત્વચિંતનમાં અભુત સામ્ય જોવા મળે છે. કેટલીક જીવનઘટનાઓ વિશે જોઈએ.
આ બંને યુગપુરુષો જ્યારે ગર્ભસ્થ અવસ્થામાં હતા ત્યારે શ્રી આદિનાથની માતા મરુદેવીએ સ્વપ્નમાં સુવર્ણસમાન એક ઉત્તમ વૃષભને પોતાના મુખમાં પ્રવેશતો નિહાળ્યો અને ગૌતમ બુદ્ધની માતા માયાદેવીએ સ્વપ્નમાં શ્વેત હસ્તીને કુક્ષિમાં આવતો જોયો. આ મંગલ સ્વપ્નો મહાન ગુણસંપન્ન પુત્રના જન્મના સૂચનરૂપ હોવાનું, નાભિરાજા તથા સ્વપ્નફળના જાણકાર વિદ્વાનોએ જણાવ્યું હતું. શ્રી ઋષભદેવા જન્મ સમયે દેવો દ્વારા તેમના જન્મકલ્યાણકનો મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો અને દેવરાજ ઇન્દ્ર તેમનો જન્માભિષેક પણ કર્યા હતા. તેવું જ વર્ણન ગૌતમ બુદ્ધના જન્મ સમયનું પણ મળે છે. ચાર દેવોએ ગુપ્ત રીતે આવીને જન્મ પામતાં ગૌતમને રેશમી વસ્ત્રમાં ઝીલી લીધા હતા અને આકાશમાંથી શીત તથા ઉષ્ણ જળની ધારાઓ વરસતી હતી. બંનેના જન્મ સમયે દિશાઓમાં આનંદ ઉલ્લાસ વ્યાપ્યો હતો અને પ્રકૃતિમાં પણ સર્વત્ર આનંદ છવાઈ ગયો હોવાનાં વર્ણનો સરખી રીતે જ મળે છે. બંને રાજકુમારો સમાન રીતે જ રાજવીય વૈભવમાં ઉછરે છે અને રાજકુમારને અનુરૂપ શિક્ષણ મેળવે છે. અને લગ્ન કરે છે. તેમની પ્રકૃતિ પણ શાંત, કરુણાપૂર્ણ અને સંવેદનાશીલ હતી.
જ્ઞાનપ્રાપ્તિ માટે ગૃહત્યાગ કરીને સાધના કરવાની પ્રેરણા પણ તેમને લગભગ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org