SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર ઋષભદેવ અને ગૌતમ બુદ્ધ ૯૭ સમાન ઘટનાથી જ મળે છે. ભગવાન ઋષભદેવના જન્મદિવસના ઉત્સવનિમિત્તે અપ્સરાઓના નૃત્યનું આયોજન થયું હતું. નીલાંજના નામની દેવી અનેક ભાવભંગિઓભર્યા આકર્ષક નૃત્યને પ્રસ્તુત કરી રહી હતી, ત્યાં જ તેના આયુષ્યની અંતિમ ક્ષણ આવી ગઈ. નૃત્ય કરતાં કરતાં જ તે મૃત્યુવશ બની ગઈ. દિવ્ય જ્ઞાનધારી આદિનાથ ભગવાનના ચિત્તમાં જાણે વીજળીનો ઝબકારો થયો. સંસારની આવી ક્ષણભંગુરતા નિહાળીને તે અત્યંત વિરક્ત થઈને વૈરાગ્યની બાર ભાવનાઓનું ચિંતવન કરવા લાગ્યા અને મુનિદિક્ષા માટે તત્પર બન્યા. ગૌતમ બુદ્ધ પણ નગરચર્યા કરતા કરતા વેદનાથી પીડાતા રોગીને અને અશક્ત વૃદ્ધને જુએ છે, મૃત મનુષ્યની નનામી પણ ત્યાંથી પસાર થાય છે. આ ઘટનાઓ દરેક મનુષ્યના જીવનમાં અનિવાર્ય હોવાનું જાણીને શાક્ય રાજકુમાર માનવજાતિનાં દુઃખ નિવારવાનો માર્ગ શોધવા મહાભિનિષ્ક્રમણ પણ કરે છે. શ્રી ઋષભનાથ પ્રવજયા સમયે પોતાના કેશનું લુચન કરે છે ત્યારે ઈન્દ્રના આગ્રહથી એક મુષ્ટિ કેશ મસ્તક પર રહેવા દે છે. તેથી તેમને કેશા' તરીકે પણ ઓળખવામાં આવે છે. ગૌતમ બુદ્ધની મૂર્તિઓમાં તેમના મસ્તક પરનું ઉર્મેિષ ખાસ ધ્યાનપાત્ર બને છે. તેમની આરંભની કઠોર તપશ્ચર્યા પણ આદિનાથની તપશ્ચર્યાઓ સાથે સામ્ય ધરાવે છે. આ તપશ્ચર્યાને અંતે શ્રી આદિનાથ અને તપસ્વી ગૌતમ કેવળ જ્ઞાન અને બુદ્ધત્વ પ્રાપ્ત કરે છે – તેમાં તેઓએ પૂર્વજીવનમાં સંચિત કરેલા જ્ઞાનનો પ્રભાવ પણ છે. શ્રી આદિનાથે તેમના પૂર્વભવોમાં સભ્ય જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ ત્રિરત્નનું અને પંચ મહાવ્રત તથા અન્ય વ્રતાદિનું, ૧૬ ભાવનાઓનું અને ઉત્તમ ક્ષમા, માર્દવ, આજર્વ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દસ ધર્મોનું પાલન કર્યું હતું. કર્મોની અતિશય નિર્જરા કરવા બાવીસ પરિષદો સહન કર્યા હતા. આ રીતે ઉપશમશ્રેણી પર આરૂઢ થઈને તેમણે પૂર્વભવમાં જ તીર્થકર નામની પુણ્યપ્રકૃતિ બાંધી હતી. ગૌતમ બુદ્ધે પણ સિદ્ધાર્થ તરીકેના તેમના જન્મ પહેલાના પૂર્વ ભવોમાં દાન, મૈત્રી, સત્ય, નૈષ્ફમ્ય, શાંતિ, મૈત્રી, ઉપેક્ષા આદિ દસ પારમિતાઓ-જેને બુદ્ધકારક ધર્મો કહેવામાં આવે છે - તે સિદ્ધ કરી હતી. જેના પ્રભાવથી તે સિદ્ધાર્થ તરીકેના જન્મમાં બુદ્ધત્વ પ્રાપ્ત કરી શક્યા. આ મહામાનવોના મહાપરિનિર્વાણના પ્રસંગોમાં પણ એવી જ સમાનતા છે. ભગવાન આદિનાથના નિર્વાણ સમયનું વર્ણન આ પ્રમાણે છે : મહા મહિમાની કૃષ્ણા ત્રયોદશીના દિવસે પ્રભુએ પર્યકાસનમાં સ્થિત થઈને બાદર કાય યોગ અને બાદર વચનયોગને નિરુદ્ધ કરીને ક્રમશઃ સૂક્ષ્મ કાયયોગમનોયોગ અને વચનયોગને પણ નિરુદ્ધ કરીને શુક્લ ધ્યાનના તૃતીય પાદના અન્તને પ્રાપ્ત કરીને શુક્લ ધ્યાનના ચતુર્થ પાદનો આશ્રય લીધો અને ત્યાર બાદ કેવળ જ્ઞાની, કેવળ દર્શની, આઠ કર્મોનો ક્ષય કરીને સર્વ દુ:ખ રહિત,...અનન્ત ઋદ્ધિસંપન્ન ભગવાને બન્ધનરહિત થઈને પરમપદ-મોક્ષની પ્રાપ્તિ કરી. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy