SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ વિવિધા ગૌતમ બુદ્ધે પણ નિર્વાણકાળે ક્રમશઃ ચાર રૂપાવચર અને ચાર અરૂપાવચર ધ્યાનને સિદ્ધ કરીને, પુનઃ પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ધ્યાનમાં લીન થઈને દેહનો ત્યાગ કર્યો હોવાનું નિરૂપણ મળે છે. શ્રી આદિનાથના ક્ષર દેહનો અગ્નિસંસ્કાર થયા પછી શેષ રહેલી ધાતુમાંથી ભક્તિ અને આદરપૂર્વક સૌધર્મેન્દ્રએ પોતાની ભૂમિમાં ભગવાનનું પૂજન કરવા માટે પ્રભુની ઉપરની જમણી દાઢ ગ્રહણ કરી, ઇશાનેન્દ્રએ ઉપરની ડાબી દાઢ લીધી, ચમરેન્દ્રએ નીચેની જમણી દાઢ અને વલીન્દ્રએ નીચેની ડાબી દાઢ ગ્રહણ કરી. અન્ય દેવતાઓ તેમના અસ્થિ લઇ ગયા અને પોતાની ભૂમિમાં લઈ જઈને માનવક સ્તન્મ ઉપર રત્નજડિત પાત્રોમાં તેમના અવશેષ મૂકીને તેની પૂજા કરવા લાગ્યા. દેવતાઓ એ તેમની નિર્વાણ ભૂમિ અષ્ટાપદ ગિરિ ઉપર રત્નોના ત્રણ સ્તૂપ પણ નિર્મિત કર્યા. ગૌતમ બુદ્ધના પરિનિર્વાણ પછી વૈશાલી, કપિલવસ્તુ, રામગામ, પાવા વગેરે આઠ પ્રદેશના રાજવીઓએ દૂત દ્વારા તથાગતના અવશેષ સમાન અસ્થિઓ પોતાના રાજયમાં મંગાવીને તેની ઉપર સ્તૂપની રચના કરી. અને ભગવાનના દાંત તથા દાઢને દેવો લઈ ગયાનું વર્ણન શ્રી આદિનાથના જેવું જ મળે છે : एकाहि दाठा तिदिवेहि पूजिता, एकापन गन्धारपुरे महीयति । कलिङ्गारग्गो विजिते पुनेकं, एकं पन नागराजा महेति ॥ चतालीस समा दन्ता, केसा, लोमा च सव्वसो । તેવા હરિનું પર્વ એવા પરમપત્તિ ૫ (મહાપરિનિર્વાણ સૂત્ર) આ પ્રમાણે ભગવાન ઋષભદેવ અને તથાગત બુદ્ધના જીવનની પૂર્વ ભવોની જ્ઞાનાર્જન માટેની સાધનાથી આરંભીને અનેકવિધ ઘટનાઓમાં અદ્ભુત સામ્ય જોવા મળે છે : જગત અને જીવન પ્રત્યેની તેમની દૃષ્ટિ અને ચિંતનમાં પણ એવું જ સામ્ય જોવા મળે છે. આહિંસાની ભાવનાને સિદ્ધ કરનાર ભગવાન ઋષભદેવની ઉપસ્થિતિમાં હરણ અને સિંહ, સાપ અને નોળિયો, ઉંદર અને બિલાડી જેવાં જન્મજાત વૈરભાવના રાખનાર પ્રાણીઓ પણ અરસપરસ સ્નેહભાવ જાળવીને સાથે રહે છે. તો મૈત્રી અને કરુણા જેવી ભાવનાઓને ચરિતાર્થ કરનાર ભગવાન બુદ્ધ આશીવિષ સર્પ કે મદોન્મત્ત હસ્તિરાજને ક્ષણવારમાં જ વશ કરી લે છે અને અંગુલિમાલ જેવા ડાકુનું હૃદયપરિવર્તન પણ સહજમાં કરે છે. જેણે માર (રાગ-દ્વેષાદિ) ને જીત્યો તે બીજું શું ન જીતી શકે ? અહિંસા, પ્રેમ, મૈત્રી, ભણાશીલતા અને સમભાવ જેવા ગુણોથી જેમણે પોતાની અંદરના અને બહારના શત્રુઓ ઉપર પણ મહાવિજય મેળવ્યો છે, તેવા આ યુગપુરુષોએ આપેલા ધર્મબોધમાં પણ ઘણી એકરૂપતા છે. શ્રી ઋષભદેવ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી, યુદ્ધોનુખ બનેલા પોતાના પુત્રોને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy