________________
તીર્થકર ઋષભદેવ અને ગૌતમ બુદ્ધ
૯૯
ઉપદેશ આપતા કહે છે : “હે વત્સગણ ! પુરુષવ્રતધારી વીર પુરુષે તો અત્યંત દ્રોહકારી શત્રુ સાથે જ યુદ્ધ કરવું ઉચિત છે. રાગ-દ્વેષ અને મોહ-કષાય શત્ શત્ જન્મોથી જીવને ક્ષતિ પહોંચાડનાર મહા શત્રુઓ છે. રાગ સદ્ગતિબાધક લોખંડની શૃંખલાની જેમ બન્ધનકારી છે. વૈષ નરકનિવાસના બળવાન ન્યાસ સમાન છે. મોહ સંસાર-સમુદ્રના આવર્તમાં નિક્ષેપકારી અને કષાય-અગ્નિતુલ્ય સ્વ-આશ્રિત વ્યક્તિઓને માટે દગ્ધકારી છે. તેથી મનુષ્યો માટે એ ઉચિત છે કે તેઓ અવિનાશી એવા (તપરૂપી) અસ્ત્રો દ્વારા નિરન્તર યુદ્ધ કરીને વિજયલાભ કરે અને સત્યશરણરૂપ ધર્મની સેવા કરે. આ રાજયલક્ષ્મી તો અનેક જન્મોમાં નિક્ષેપકાર, અત્યંત દુઃખદાયક, અભિમાનરૂપ ફળને આપનારી અને નાશવાન છે. વત્સગણ, પૂર્વજન્મના સ્વર્ગસુખોથી પણ તમારી તૃષ્ણા તૃપ્ત થઈ નથી તો તે રાજ્યલક્ષ્મી ભોગવીને કેવી રીતે શાન્ત થશે. તેથી તમારે મોક્ષ પ્રાપ્તિ માટે સંયમ સામ્રાજયને ગ્રહણ કરવું જોઈએ... (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતશ્લોક ૮૨૭ થી ૮૩૫, ૮૪૪)
અન્યત્ર રાજા ભરતને ઉપદેશ આપતા કહે છે :
આધિ-વ્યાધિ-જરા અને મૃત્યુરૂપ હજારો જવાળાઓથી ભરેલો આ સંસાર સમસ્ત પ્રાણીઓ માટે પ્રજ્વલિત અગ્નિ સમાન છે... અતઃ જ્ઞાની વ્યક્તિએ જરા પણ પ્રમાદ કરવો ઉચિત નથી. ઉત્તમ રત્ન જેવો આ મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે. (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત-શ્લોક પર-પપ૬)
ગૌતમ બુદ્ધની વાણીમાં પણ (ધમ્મપદ-આધારિત) આ જ શબ્દોનો પ્રતિધ્વનિ સંભળાય છે. અસ્થિ ર સપો મા નલ્થિ સોસ સમો ની.' રાગ સમાન અગ્નિ નથી અને દ્વેષ સમાન શત્રુ નથી. એમ કહીને “તણાવયં બ્લડુ+વિનતિ' તૃષ્ણાના નાશથી જ દુઃખને દૂર કરી શકાય છે. તેવો ઉપદેશ તેમણે આપ્યો છે. મ ર પામવો અને પપા મળ્યું – પ્રમાદ જ મૃત્યુ છે તેવો બોધ આપીને અપ્રમાદનું મહત્ત્વ દર્શાવ્યું છે. તેમની દૃષ્ટિએ નિર્વા પગતિ સતિ સંસાર નિત્ય પ્રજવલિત હોય છે અને શિષ્ઠ અનુસ પરિત્નો મનુષ્ય જન્મ દુર્લભ છે. દુઃખની અનિવાર્યતા અને સુખની ક્ષણભંગુરતા સમજાવીને આ બંને ધર્મસંસ્થાપકોએ ત્રિરત્ન-એટલે કે ભગવાન ઋષભદેવે સમ્યગુ જ્ઞાન દર્શન અને ચારિત્ર તથા ગૌતમ બુદ્ધે શીલ-સમાધિ અને પ્રજ્ઞાનો ઉપદેશ આપ્યો છે. સમ્યકત્વ, સમતાભાવ, અહિંસા અને મૈત્રી આદિ પણ તેમના તત્ત્વદર્શનના હાર્દરૂપ છે.
ભગવાન ઋષભદેવ અને ગૌતમ બુદ્ધ પરમ પદની પ્રાપ્તિ માટે ધર્મનો દીપક તો પ્રગટાવ્યો, પણ તે સાથે સર્વ સામાન્ય મનુષ્યોના સુરક્ષિત અને પ્રગતિશીલ જીવન માટે સુવ્યવસ્થિત એન સુસંવાદી સમાજરચનાને પણ મહત્ત્વ આપ્યું. લગભગ સર્વસ્વીકૃત માન્યતા અનુસાર સમાજના નિર્માણના કાર્યનો આરંભ જ ઋષભદેવથી થયો છે. યુરોપ અને અમેરિકાના વનસ્પતિશાસ્ત્રીઓએ પણ સંશોધન દ્વારા એવા નિર્ણય પર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org