SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ વિવિધા આવ્યા છે કે ખાવાલાયક ઘઉંનું ઉત્પાદન સૌ પ્રથમ હિન્દુકુશ અને હિમાલયની વચ્ચે આવેલા પ્રદેશમાં થયું હતું. ઋષભદેવે પ્રજાને ખેતી કરતા અને ધાન્યને અગ્નિમાં પકવીને તેનો આહાર કરવાનું શીખવ્યું. ધાન્યને અગ્નિમાં પકવવા માટે માટીના વાસણ બનાવવાની પ્રેરણા આપી અને કુંભારનો ચાક બનાવ્યો. તેમણે અસિ (રક્ષણ) મસિ (વ્યાપાર) અને કૃષિ (ખેતી)નો આરંભ કર્યો. મહારાજા ઋષભદેવે પ્રજાજનોને શસ્ત્ર-લેખિની-વિદ્યા-વેપાર-ખેતી અને શિલ્પ એ છ કાર્યો દ્વારા આજીવિકાનો ઉપદેશ આપ્યો. લિપિ અને કળાઓનું શિક્ષણ તેમનું આગવું પ્રદાન હતું. કર્મના ઉપદેશ વડે તેમણે કર્મયુગનો આરંભ કર્યો તેથી તેઓ “કૃતયુગ” અથવા “યુગકર્તા' કહેવાયા. તેમણે પ્રજાનું સારી રીતે પાલન-પોષણ કર્યું તેથી “પ્રજાપતિ' પણ કહેવાયા. તેમણે લોકોને શેરડીના રસનો ઉપયોગ કરતાં શીખવ્યું. તેથી ઇક્વાકુ પણ કહેવાયા. માનવ સંસ્કૃતિ અને સભ્યતાનો આરંભ તેમનાથી થાય છે. ગૌતમ બુદ્ધ પણ ઉત્તમ રાજનીતિજ્ઞ અને સમાજશાસ્ત્રના જ્ઞાતા હોવાની પ્રતીતિ, ત્રિપિટકના અનેક ગ્રંથોને આધારે મળે છે. જન-જીવનનો ઉત્કર્ષ સાધવા તેમણે ગણરાજ્યનો ઉત્તમ આદર્શ અભિવ્યક્ત કર્યો હતો. તત્કાલીન રાજાઓ-પ્રસેનજિત કોસલ, બિંબિસાર, અજાતશત્રુ વગેરે રાજયશાસનનું સફળ સંચાલન કરવા, તેમની પાસેથી પ્રેરણા મેળવતા હતા. તે સમાજહિતચિંતક અને બહુજનહિતેષી હતા. મહાવિજિત નામના એક રાજાના સંદર્ભમાં, સમાજમાં બધાંનું હિત સધાય તેવા રાજયશાસન માટે બુદ્ધે કહ્યું હતું કે “ રાજ્યમાં શાંતિ સ્થાપવી હોય તો યજ્ઞયાગાદિ કરાવાને બદલે જેઓ આપના રાજયમાં ખેતી કરવા ઇચ્છે છે, તેઓને આપે બી વગરે આપવાં, જેઓ વેપાર કરવા ઇચ્છે છે, તેઓને મૂડી આપવી, જે સરકારી નોકરી કરવા ઇચ્છે છે, તેને યોગ્ય પગાર આપી તેનો યોગ્ય કામમાં ઉપયોગ કરવો. આમ કરવાથી રાજ્યમાં બંડ થવાનો સંભવ રહશે નહિ.' - ગૌતમ બુદ્ધે કૃષિ-ખેતીને પણ મહત્ત્વ આપ્યું છે. તેમણે સુત્તનિપાતના કસિભારદ્વાજ સુત્તમાં પોતાનો ખેડૂત તરીકે પરિચય આપ્યો છે - અલબત્ત, તેમનો નિર્દેશ આધ્યાત્મિક સાધનાના સંદર્ભમાં હતો. તેઓ કહે છે : “શ્રદ્ધા એ મારું બીજ છે, તપશ્ચર્યા એ વૃષ્ટિ છે, પ્રજ્ઞા એ ધૂસરી અને હળ છે, પાપલજ્જા એ હળનું લાંબુ લાકડું છે, ચિત્ત દોરી છે અને સ્મૃતિ (જાગૃતિ, સાવધાનતા) એ ફળું તથા ચાબૂક છે...મારી આ અમૃતફલદાયક ખેતી છે, તેનાથી મનુષ્ય બધા દુઃખોમાંથી મુક્ત થાય છે.” આ પ્રમાણે બંને ધર્મસંસ્થાપકોના જીવનમાં અને તત્ત્વદર્શનમાં ઘણું સામ્ય જોવા મળે છે. જન્મ, મહાપરિનિર્વાણ વગેરે ઘટનાઓનું સામ્ય કદાચ સાહિત્યિક કે રૂઢિગત પરિપાટીના પરિણામ સ્વરૂપ હોઈ શકે. પરંતુ સત્ય, અહિંસા, અસ્તેય, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy