SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ઋષભદેવ અને ગૌતમ બુદ્ધ ૧૦૧ અપરિગ્રહ, રાગ-દ્વેષાદિના ક્ષયનું અને સંયમપાલનનું મહત્ત્વ વગેરે નીતિમૂલક સદાચારના તેમના ઉપદેશનું સામ્ય પણ નોંધપાત્ર છે. લગભગ બધા જ ધર્મા કે સંપ્રદાયોમાં પ્રત્યેક સ્થળે અને કાળે તેનો સ્વીકાર થયો છે. ધર્મનાં મૂળ તત્ત્વો શાશ્વત કે સનાતન હોવાની વાતનું તે સમર્થન કરે છે. જીવન જીવવાની વૈજ્ઞાનિક રીતનું જ તેમાં નિદર્શન છે. ધર્મ એ જીવનના આચાર-વિચાર વિશેનું વિજ્ઞાન જ છે. મનની શાંત અવસ્થા અને આહાર-વિહારનો સંયમ આપણા આરોગ્યને સુરક્ષિત રાખે છે – એમ આજે આપણને વિજ્ઞાન કહે છે. પણ આપણા આ ક્રાન્તદષ્ટા ધર્મપુરુષોએ એ વાત સંસ્કૃતિના ઉદયકાળે જ જણાવી હતી. અને બુદ્ધ જેવા યુગનાયકોએ તેનું યુગે યુગે સમર્થન કર્યું હતું. એ દૃષ્ટિએ ભગવાન ઋષભદેવ અને તથાગત બુદ્ધ મહાન ધર્મસંસ્થાપકો હોવાની સાથે આજના સંદર્ભમાં કહેવું હોય તો મહાન વૈજ્ઞાનિકો પણ હતા. તેમને શત શત્ વંદન. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy