________________
૧૦ર
વિવિધા
ઉવસગ્ગહર સ્તોત્ર : સવગી સમીક્ષા ॐ अहँ पार्श्वनाथाय ही नमः ।।
સ્તોત્રસર્જનનું મુખ્ય પ્રેરકબળ છે ભક્તિ. ઉપાસે પરમાત્માના સ્વરૂપ ગુણાદિમાં ચિત્તને કેન્દ્રિત કરીને ઉપાસક તેની સ્તુતિ અને આરાધના કરે છે.
- તું ધાતુમાંથી નિષ્પન્ન “તુતિ' શબ્દનો અર્થ છે આરાધ્ય દેવની પ્રશંસા કે સ્તુતિ, સ્તવ, સ્તવન, સ્તુતિ અને સ્તોત્ર શબ્દો લગભગ સમાનાર્થી છે. સ્તુતિમાં વ્યક્તિ અને ભગવાન વચ્ચેના સંબંધ પરોક્ષ હોઈ શકે છે, પણ સ્તોત્રમાં તો આરાધક પ્રત્યક્ષ રીતે જ ઇષ્ટદેવને સંબોધીને આÁહદયે પ્રાર્થના કરે છે.
સ્તોત્ર ના વ્યુત્પત્તિજન્ય અર્થ અનુસાર જેનાથી સ્તુતિ કરાય તે સ્તોત્ર – સૂતે અને રૂતિ સ્તોત્રમ્ વ્યુત્પત્તિજન્ય અર્થાનુસાર સ્તોત્ર દ્વારા આરાધ્યની સ્તુતિ એવો અર્થ નિષ્પન્ન થાય છે. આ સ્તોત્ર કાવ્ય પ્રકાર ભારતીય ઋષિઓના હૃદયનો પ્રથમ ઉદ્ગાર છે. વૈદિક સ્તોતા ક્રાન્તદેષ્ટા કવિ પણ છે. સ્તોત્ર ગાનાર સ્તોતા કહેવાતા. આ સ્તોત્રની વાણી અંત:કરણમાંથી સ્વતઃ પ્રસૂત હોવાને કારણે જ તે શુદ્ધ કાવ્ય તરીકે પુરસ્કૃત થયું. આ સ્તોત્ર-કાવ્ય-પ્રકાર વિશ્વમાં પ્રાયઃ સર્વપ્રથમ ભારતીય ભૂમિ પર અંકુરિત થયો ને કાળનાં વારિસિચનથી પલ્લવિત થયો. વિશ્વના વિવિધ દેશોમાં આદિકાળથી મનુષ્ય પ્રકૃતિને ઉદબોધીને કરેલી પ્રાર્થનાઓમાં આ સ્તોત્રકાવ્યનાં મૂળ જોઈ શકાય છે. પરંતુ વેદની ઋચાઓમાં તેનું પરિશુદ્ધ કાવ્યસ્વરૂપ અને હૃદયસ્પર્શિતા જોવા અનુભવવા મળે છે.
સમયની સાથે સાથે વિવિધ ધર્મ સંપ્રદાયોમાં પણ ભક્તિભાવથી પ્રેરિત માનવહૃદયની ઊર્મિઓ સ્તુતિ, ભક્તિ, શરણાગતિ અને પ્રાર્થના સ્વરૂપે સ્તોત્રકાવ્યમાં અદ્યાપિપર્યત પ્રગટ થતી રહી છે. સ્તોત્રની ગાથા સંખ્યા, રચના પદ્ધતિ, વિષયનિરૂપણ અને ઈષ્ટદેવના અનુસંધાની દૃષ્ટિએ સ્તોત્રના અનેક પ્રકારો જોવા મળે છે. મનુષ્ય અને ઇષ્ટદેવ વચ્ચેનો, આત્માનો પરમાત્મા સાથેનો રાગાત્મક પણ વિશુદ્ધ અનુબંધ તેમાં સધાય છે.
ભારતીય સંસ્કૃતિમાં હિંદુ, જૈન અને બૌદ્ધ – ત્રણે સ્તોત્ર પરંપરાઓ એક સાથે વિકસતી અને પરસ્પર પ્રભાવિત થતી રહી હોવા છતાં જૈન સ્તોત્રકાવ્યોમાં પ્રગટ થતા મંત્ર, યંત્ર અને ભાવનાશીલતાને કારણે તેનું એક નિજી વિશિષ્ટ આગવું સ્વરૂપ પ્રફુટિત થાય છે. જૈનધર્મમાં ભક્તમાર, કલ્યાણ મંદિર, જયવીરાય વગેરે સ્તોત્રોની જેમ ઉવગહર સ્તોત્રનું પણ, સ્તોત્ર-યંત્ર અને મંત્રની ઉપાસનાની દષ્ટિએ ઘણું માહાભ્ય સ્વીકારાયું છે. તેના વિશે અનેક ટીકાગ્રંથો અને ભાષ્ય રચાયાં છે. તથા આ સ્તોત્ર મૂર્તિપૂજક સંપ્રદાયમાં મંદિરમાં જઈને નિત્યકર્મરૂપે કરાતા ચૈત્યવંદનમાં નિશ્ચિત સ્થાન પામેલું છે. જૈનધર્મના અનેક ભક્ત-ઉપાસકો શ્રદ્ધાપૂર્વક ૧૦૮, ૨૧ કે ૭ વાર તેનો પાઠ કરે છે. સ્તોત્રના સ્વરૂપની દષ્ટિએ :
ચૈત્યવંદન આદિમાં બોલાતી સ્તુતિઓ (કે ક્યારેક મંત્રો) માત્ર એક શ્લોક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org