SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તોત્ર : સવગી સમીક્ષા ૧૦૩ કે એક જ ગાથાની હોય છે. અને સ્તવન કે સ્તોત્ર ઓછામાં ઓછા પાંચ ગાથાના હોય એવી પરિપાટી છે. એ દૃષ્ટિએ આ ઉવસગ્ગહર સ્તોત્ર, સ્તોત્રની સંજ્ઞા માટે ઉપયુક્ત છે. સ્તોત્રના આરાધ્ય તીર્થંકર દેવ શ્રી પાર્શ્વનાથ અપ્રતિમ માહાભ્ય ધરાવતા, જેમનાં દર્શન અને વાણી પ્રત્યેક ભક્તહૃદય માટે અતિ સન્માનને પાત્ર હતાં અને ભગવાન મહાવીરે પણ જેમનો “પુરુષાદાનીય પાર્થ તરીકે અતિ આદરપૂર્વક ઉલ્લેખ કર્યો હતો તેવા જૈનધર્મના ૨૩મા તીર્થકર શ્રી પાર્શ્વનાથ વિશેનું પ્રસ્તુત સ્તોત્ર સૂત્રાત્મક રૂપે અને અત્યંત સંક્ષેપમાં તેમના વ્યાપક પ્રભાવને પ્રગટ કરે છે. સ્તોત્રની પ્રથમ ગાથામાં જ ભગવાનને મંત્ર અને સ્થાન ના આવાસરૂપે તથા ચોથી ગાથામાં વિતામળિ ને ન્યપ તરીકે વર્ણવ્યા છે. કદાચ તેનાથી જ પ્રેરાઈને તેમના કોઈ ભક્ત ઉપાસકે આ ચારે શબ્દોને વિશેષનામ રૂપે પ્રયોજીને, મંત્ર, ન્યા, વિતામUો અને વન્યપ નામની શ્રી પાર્શ્વનાથજીની ચાર મૂર્તિઓ બનાવીને ચતુર્મુખ, ચૌમુખજી રૂપ આબુ પર્વત ઉપર દેલવાડામાં ખરતરવસહીના પ્રથમ મજલામાં સ્થાપિત કરી છે. પૂર્વ દિશામાં દ્વિતાળ પાર્શ્વનાથ છે. આ મૂર્તિઓ ભવ્ય અને નવ ફણાઓવાળી છે, જે ભગવાન પાર્શ્વનાથના માહાભ્યનો સાક્ષાત્કાર કરાવે છે. શ્રી પાર્શ્વનાથજીનું જીવનચરિત્ર તેમની અનુપમ કૃપા-કરુણા અને સિદ્ધિઓનો વિશદ પરિચય કરાવે છે. પાર્શ્વનાથ ભગવાન મંગલ અને કલ્યાણને કરનારા છે, ચિંતામણિ રત્નની જેમ ચિતાઓનું પરિહરણ કરે છે અને કલ્પવૃક્ષની જેમ મનોવાંચ્છિતને મૂર્ત કરે છે. સ્તોત્રનું નિર્દિષ્ટ લક્ષ્ય અને ૩વસ શબ્દની વ્યુત્પત્તિ : સ્તોત્રના શીર્ષકને આધારે સ્પષ્ટ થાય છે તેમ આ સ્તોત્રનું લક્ષ્ય આધિ-વ્યાધિઉપાધિરૂપ વિઘ્નો અને સર્પવિષ-ભૂતપ્રેત આદિથી થતા ઉપસર્ગોને સ્તુતિ દ્વારા દૂર કરાવવાનું છે. ૩વસી શબ્દ સંસ્કૃત ૩૫ શબ્દ સાથે સામ્ય ધરાવે છે. અર્થાત ધ્વનિપરિવર્તન અનુસાર ૩પસ માંથી ૩વસ" શબ્દ બન્યો છે. ૩પસ શબ્દ ૩પ ઉપસર્ગવાળા વૃક ધાતુથી બનેલો છે તેનો અર્થ વિપ્ન કે આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ મુશ્કેલી એવો થઈ શકે, પરંતુ જૈન સાહિત્ય અનુસાર તેનો અર્થ અન્ય દ્વારા કરાયેલા ઉપદ્રવ એવો થાય છે. તેની વ્યાખ્યા આ રીતે કરવામાં આવે છે : નવ ૩૫કૃત્તેિ સવંધ્યતે પરિઃિ સ યસ્મત્ત ૩૫૩ : જેના દ્વારા જીવ દુઃખ વેદના વગેરે સાથે સંબંધવાળો થાય છે તે ઉપસર્ગ છે. શ્રી હેમચંદ્રાચાર્ય અભિધાનચિંતામણિ (૨.૩૯) માં ૩૫ ૩પદ્રવ: એવો અર્થ કરે છે. આ ઉપસર્ગો ત્રણ પ્રકારના છે : ૧. દેવતાકૃત-ભૂત-પ્રેતાદિના ઉપસર્ગ, ૨. મનુષ્ય દ્વારા મંત્ર-તંત્ર આદિ પ્રકારે થતા ઉપદ્રવ, ૩. તિર્યંચ કૃત. સિંહ, વ્યાધ્ર, હાથી, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy