SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ વિવિધા મગર, સર્પ આદિથી ઉદ્ભવતા ઉપદ્રવ. અર્થકલ્પલમાં આત્માને અનુભવવા પડતા ક્લેશાદિનો પણ આત્મસંવેદની એવો ચોથો પ્રકાર આપ્યો છે : - ૩૧: વિદ્યमानुष-तैरश्चाऽऽत्मसंवेदनीयभेदाच्चतुरविधाः । આ વિવિધ પ્રકારના ઉપસર્ગોને-ઉપદ્રવોને દૂર કરવા માટે આ સ્તોત્રમાં શ્રી પાર્શ્વનાથજીને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવામાં આવી છે. સ્તોત્રના રચયિતા અને રચનાસમય : ઉવસગ્ગહર સ્તોત્રના રચયિતા શ્રી ભદ્રબાહુ સ્વામી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ નીચેની ગાથામાં મળે છે. उवसग्गहरं थोत्तं, काउणं जेण संघकल्लाणं । करुणायरेण विहियं, स भद्दबाहु गुरु जयउ । કરુણાપૂર્ણ હૃદયવાળા, જેમણે ઉપસર્ગહર સ્તોત્ર રચીને શ્રીસંઘનું કલ્યાણ કર્યું છે તેવા શ્રી ભદ્રબાહુ સ્વામીનો જય થાઓ. - જૈન સાહિત્યમાં શ્રી ભદ્રબાહુ સ્વામીના વિવિધ ઉલ્લેખો મળે છે. પરંતુ આચાર્યશ્રી યશોભદ્રસૂરિના બીજા પટ્ટધર, છેલ્લા પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામીની અપેક્ષાએ આ સ્તોત્ર ઈ.સ.ની છઠ્ઠી સદીની આસપાસ પ્રકાંડ જ્યોતિષી વરાહમિહિરના બંધુ મહાન આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચ્યું હોવાની સંભાવના સવિશેષ છે. તેમના ભાઈ વરાહમિહિરે મૃત્યુ બાદ વ્યંતર થઈને ગત જન્મના દ્વેષને કારણે, શ્રીસંઘમાં મહામારીનો ઉપદ્રવ કર્યો, ત્યારે તેનું શમન કરવા શ્રી ભદ્રબાહુ સ્વામીએ આ પ્રભાવક સ્તોત્ર રચી શ્રીસંઘને તેનો પાઠ કરવા જણાવ્યું. તેનાથી મહામારીનો ઉપદ્રવ દૂર થયો. તે સમયથી જ આ સ્તોત્રનો ઈહલૌકિક અને પારલૌકિક અર્થ સમજાતા શ્રીસંઘ અને જૈન ધર્મના ઉપાસકો દ્વારા પાઠ કરવાનો આરંભ થયો. આ ભદ્રબાહુ સ્વામીએ આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન...વગેરે ગ્રંથોની નિર્યુક્તની અને અન્ય ગ્રંથોની રચના કરી હોવાના ઉલ્લેખો પણ મળે છે. સ્તોત્રની ગાથા સંખ્યા : આ સ્તોત્રના પાંચ ગાથાવાળા પાઠને સામાન્ય રૂપે સર્વત્ર માન્યતા મળેલી છે. પણ સમય જતાં તેમાં કેટલીક અન્ય ગાથાઓનો પણ પ્રક્ષેપ થયો છે. તેથી સાંપ્રત સમયમાં આ સ્તોત્રના ૯ ગાથાના, ૧૩ ગાથાના, ૧૭ ગાથાના, ૨૧ ગાથાના તથા ૨૭ ગાથાના પાઠો પણ પ્રચલિત બન્યા છે. ઉવસગ્ગહર સ્તોત્રના સર્વ ટીકાકારોએ આ સ્તોત્રની પાંચ ગાથાઓ પર જ ટીકા કરી છે. વળી શ્રી રાજશેખર સૂરિએ ચતુર્વિશતિપ્રબંધમાં જણાવ્યું છે કે : "ततः पूर्वेभ्यं उद्धृत्य 'उवसग्गहरं पासं' इत्यादि स्तवनगाथा पच्चकमयं सद्दब्धं મુfમ:” વળી પૂર્વ આચાર્યોમાંથી ઉદ્ધરણ લઈને “ઉવસગ્ગહરં પાસું એ શબ્દોથ શરૂ થતું પાંચ ગાથાવાળું સ્તવન ગુરુ વડે રચાયું. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy