________________
८८
વિવિધા
શારિપુત્ર પ્રકરણ નાટ્યગ્રંથ છે. તેમાં ૯ અંક છે. તેમાં શારિપુત્ર અને મૌદગલ્યાયન બૌદ્ધધર્મમાં દીક્ષિત થાય છે, તેનું આલેખન છે. અવદાન સાહિત્ય :
અવદાન (પાલિ-અપદાન)નું તાત્પર્ય છે-લોકકથાઓના માધ્યમથી ધાર્મિક સિદ્ધાંતોને અભિવ્યક્ત કરનારું સાહિત્ય. તેની વિસ્તૃત સીમાઓમાં પારમિતાઓનો અભ્યાસ પણ સમાવિષ્ટ થઈ જાય છે. પાલિ સાહિત્યમાં જે સ્થાન જાતકકથાઓનું છે, તે જ સ્થાન બૌદ્ધ સંસ્કૃત સાહિત્યમાં અવદાનકથાઓનું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મ અને તેના ફળના સિદ્ધાંતની વ્યાખ્યા કરવાનો છે. કથાઓનું વિભાજન મુખ્યત્વે ત્રણ પ્રકારે મળે છે. અતીત અનાગત અને પ્રત્યુત્પન્ન હીનયાન અને મહાયાનનાં સંમિશ્રિત રૂપની પ્રસ્તુતતા અવદાનસાહિત્યની વિશેષતા છે.
અવદાનશતક એ અવદાન સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ હોવાનું મનાય છે. તેના દસ અધ્યાય છે અને તેમાં હીનયાન તથા મહાયાન સંબંધી કથાઓ ઉપલબ્ધ થાય છે. તેની કેટલીક કથાઓ અન્ય અવદાનગ્રંથોમાં પણ મળે છે.
‘દિવ્યાવદાન” પણ મહત્ત્વનો અવદાન ગ્રંથ છે. જો કે તેમાં ભાષા, શૈલી અને વિષયવસ્તુની દૃષ્ટિએ સંવાદિતા ઓછી છે. વસ્તુતઃ તેનો સંબંધ મૂળ સર્વાસ્તિવાદના વિનયપિટક સાથે વધારે છે.
તે ઉપરાંત કલ્પદ્રુમાવદાન, અશોકાયદાન, કાવિદત્યવદાન, બોધિસત્વદિવદાન, અવદાનકલ્પલતા વગેરે પણ નોંધપાત્ર ગ્રંથો છે.
સંસ્કૃતમાં રચાયેલા દાર્શનિક સાહિત્યમાં મુખ્યત્વે મહાયાની સૂત્રો અને યોગાચાર તથા વિજ્ઞાનવાદના ગ્રંથોને ગણાવી શકાય. મૈત્રેય, અસંગ, વસુબવુ, નાગાર્જુન, દિનાગ વગેરે આચાર્યોએ બૌદ્ધ દાર્શનિક સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચ્યું હતું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org