SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધ સંસ્કૃત સાહિત્ય ૮ . મહાવસ્તુ : સંસ્કૃત ભાષામાં રચાયેલો હીનયાનનો ખાસ કરીને લોકોત્તરંવાદી મહાસાંઘિકોના આ વિનયગ્રંથનું ઘણું માહાભ્ય છે. બુદ્ધનું જીવનચરિત્ર તેનો મુખ્ય વિષય છે. મહાવસ્તુના પ્રારંભમાં જ ચાર બોધિસત્વચર્યાઓનું વર્ણન છે. પ્રકૃતિચર્યા, પ્રણિધાનચર્યા, અનુલોમચર્યા અને અનિવર્તનચર્યા. આ ચાર ચર્યાઓની પૂર્તિથી બોધિસત્વ બુદ્ધત્વની પ્રાપ્તિ કરે છે. આ ગ્રંથમાં ભગવાન બુદ્ધ લોકોત્તર હોવાનું બતાવ્યું છે. હીનયાનથી મહાયાન પ્રત્યેની સંક્રમણાવસ્થાની સાથે આ ગ્રંથમાં બોધિસત્વની દશભૂમિઓનું પણ સૌ પ્રથમ વર્ણન મળે છે. ગૌતમ બુદ્ધનું જીવનચરિત્ર જ તેનો મુખ્ય વિષય હોવાથી તેને મહાવસ્તુ-અવદાન પણ કહે છે. ત્રિપિટકના વિષયવસ્તુ અને કથાપ્રસંગોની તેના પર વ્યાપક અસર છે. જો કે આ ગ્રંથના રચનાસમય વિશે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. લલિતવિસ્તર: ' મહાયાનના વેમુલ્યસૂત્રોમાં આ ગ્રંથને ઘણો પવિત્ર માનવામાં આવે છે. તેમાં બુદ્ધ ચરિત્રનું વર્ણન છે. પૃથ્વી ઉપર ભગવાન બુદ્ધે જે લીલા કરી તેનું વર્ણન હોવાથી તે “લલિતવિસ્તર' કહેવાય છે, તેને “મહાબૃહ” પણ કહેવામાં આવે છે. ગૌતમ બુદ્ધનો તુષિત દેવલોકમાં નિવાસ, ગર્ભાવક્રાન્તિ, જન્મ, બાલચર્યા, સર્વમારમડલવિધ્વંસન – વગેરે વિષયોનું આ ગ્રંથમાં વિવરણ છે. બુદ્ધના જીવનની ચાર મુખ્ય ઘટનાઓ-ચાર પૂર્વનિમિત્ત-જેનાથી બુદ્ધે જરા, વ્યાધિ, મૃત્યુ અને પ્રવજ્યા જ્ઞાન પ્રાપ્ત કર્યું. અભિનિષ્ક્રમણ, બિંબિસારોપક્રમણ, દુષ્કરચર્યા, મારઘર્ષણ, અભિસંબોધન અને ધર્મદેશના-તે સર્વનું અહીં વિસ્તારથી વર્ણન છે. ગ્રંથ મુખ્યત્વે ગદ્યમાં છે. વચ્ચે વચ્ચે તેમાં ગાથાઓ અને ક્યારેક ગ્રામ્યગીતો પણ આવે છે. કેટલાંક સુંદર વર્ણનો, ઉપમાદિ અલંકારો અને પ્રાસાદિક શૈલીને કારણે તે સાહિત્યિક દૃષ્ટિએ પણ મહત્ત્વનો ગ્રંથ છે. બુદ્ધચરિત, સૌન્દરનન્દ અને શારિપુત્ર પ્રકરણ : * મહાકવિ અશ્વઘોષના સંસ્કૃત ભાષામાં રચાયેલા આ ત્રણ ગ્રંથો પણ બૌદ્ધ ધર્મના મહત્ત્વના ગ્રંથો છે. કનિષ્કનો લગભગ સમકાલીન એવા કવિ અશ્વઘોષે બુદ્ધના જીવનચરિત્રનું વર્ણન કરતા કાવ્યગ્રંથ “બુદ્ધચરિત'ની રચના કરી છે. તેના ૨૮ સર્ગ છે. પરંતુ અશ્વઘોષે રચેલા સમગ્ર કાવ્યના બધા સર્ગો ઉપલબ્ધ થતા નથી. તેમાં મુખ્યત્વે બુદ્ધકથા તેમના જન્મથી આરંભીને સંવેગોત્પત્તિ, અભિનિષ્ક્રમણ, મારવિજય, સંબોધિ, ધર્મચક્રપ્રવર્તન, પરિનિર્વાણ વગેરે પ્રસંગોના વર્ણન સાથે પ્રથમ ધર્મસંગીતિ અને અશોકના રાજ્યકાળનો નિર્દેશ કરીને પરિસમાપ્ત થાય છે. સૌન્દરનંદમાં ૧૮ સર્ગ છે. તેમાં બુદ્ધના ભાઈ સૌન્દરનંદ બૌદ્ધધર્મમાં પ્રવજિત થાય છે તેની કથા છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy