________________
૮૬
બૌદ્ધ સંસ્કૃત સાહિત્ય
બૌદ્ધ ધર્મમાં પાલિ સાહિત્ય માત્ર સ્થવિરવાદની પરંપરામાં ઉપલબ્ધ છે. પરંતુ ઉત્તરકાલીન પ્રાયઃ સર્વ બૌદ્ધ સંપ્રદાયોમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થયો છે. ગૌતમ બુદ્ધે ભિક્ષુઓને પોતાની ભાષાઓમાં ઉપદેશ આપવા માટે જણાવ્યું હતું પણ બુદ્ધવચનને વૈદિક ભાષામાં પરિવર્તિત કરવાનો નિષેધ કર્યો હતો. પરંતુ બૌદ્ધધર્મ અનેક સંપ્રદાયોમાં વિભક્ત થતા સંસ્કૃત ભાષાનું પ્રાધાન્ય વધતું ગયું અને હીનયાનખાસ કરીને સર્વાસ્તિવાદના કેટલાક ગ્રંથો સંસ્કૃતમાં રચાયા. મહાયાની બૌદ્ધ સાહિત્ય તો પ્રાયઃ સંસ્કૃતમાં જ છે. આ સંસ્કૃત સાહિત્યમાં મુખ્યત્વે બે પ્રકારના ગ્રંથો મળે છે. ૧. ગૌતમ બુદ્ધના જીવનચરિત્ર વિષયક અને ૨. સૈદ્ધાંતિક શાસ્ત્રગ્રંથો.
વિવિધા
આ ગ્રંથોની સંસ્કૃત ભાષાનું સ્વરૂપ શુદ્ધ સંસ્કૃત નથી પણ આચાર્ય નરેન્દ્રદવ જણાવે છે તે પ્રમાણે ‘સંકર-સંસ્કૃત' છે. કોઈ તેને ગાથા સંસ્કૃત કહે છે, કોઈ મિશ્ર સંસ્કૃત અથવા તો બૌદ્ધ સંસ્કૃત પણ કહે છે. વિદ્વાનોમાં આ ભાષા શુદ્ધ હોવા વિશે અનેક મતભેદ છે, પરંતુ તેના પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ અવશ્ય છે.
હીનયાન પરંપરામાં સર્વાસ્તિવાદના ગ્રંથો પ્રાયઃ સંસ્કૃતમાં રચાવાનું શરૂ થયું. આર્ય કાત્યાયની પુત્ર રચિત ‘જ્ઞાનપ્રસ્થાનશાસ્ત્ર' સંભવતઃ બૌદ્ધ સંસ્કૃત સાહિત્યનો આદ્ય ગ્રંથ મનાય છે. કનિષ્ક રાજાના સમયમાં વસુમિત્રની અધ્યક્ષતામાં થયેલી પંચાતિકા સંગીતિમાં ‘વિભાષા' નામની ટીકા રચી. તેના અનુયાયીઓ વૈભાષિક કહેવાયા. વસુમિત્રએ ત્યારબાદ ‘અભિધર્મકોશ'ની પણ રચના કરી અને અન્ય આચાર્યાએ સંયુક્તરૂપે ‘મહાવિભાષા' ગ્રંથ તૈયાર કર્યો. આ સર્વ ગ્રંથોની રચના સંસ્કૃત ભાષામાં થઈ. તે ઉપરાંત ધર્મત્રાતનો ઉદાનવર્ગ, ઘોષકનો અભિધર્મામૃત, વસુમિત્રનો પ્રક૨ણવાદ અને ધર્મશ્રીનો અભિધર્મસાર સર્વાસ્તિવાદના પ્રાચીન ગ્રંથ હોવાનું કહેવાય છે.
અભિધર્મ વિશે રચાયેલા નીચેના ગ્રંથોને ષટપાદશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. ૧. સારિપુત્ર વિરચિત અભિધર્મસંગ્રહ પર્યાય પાદશાસ્ત્ર, ૨. મૌદગલ્યાયન વિરચિત અભિધર્મસ્કંધ પાદશાસ્ત્ર, ૩. સ્થવિર દેશવર્મા રચિત અભિધર્મ વિજ્ઞાનકાય પાદશાસ્ત્ર, ૪. કાત્યાયની પુત્રનું અભિધર્મ પ્રજ્ઞપ્તિ પાદશાસ્ત્ર, ૫. વસુમિત્ર રચિત અભિધર્મધાતુકાય પાદશાસ્ત્ર અને ૬. વસુમિત્રરચિત અભિધર્મપ્રકરણ પાદશાસ્ત્ર.
સર્વાસ્તિવાદમાં અભિધર્મનું ઘણું મહત્ત્વ હતું. સુત્તપિટકના નિકાય શબ્દને સ્થાને સર્વાસ્તિવાદીઓએ આગમ શબ્દનો પણ ઉપયોગ કર્યો છે. તેમણે થેરવાદી પિટકો કેટલાક પરિવર્તનો સાથે સંસ્કૃતમાં અનુદિત કર્યાં હતાં.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org