________________
ત્રિપિટક સાહિત્ય
યમક
આ પ્રકરણમાં પ્રશ્ન જોડના રૂપમાં રાખવામાં આવે છે. યમકનો શાબ્દિક અર્થ જોડકું (યુગ્મ) છે. અહીં પ્રશ્નોના અનુકૂળ અને તેના વિપરિત સ્વરૂપનાં ૧૨ યુગ્મ બનાવવામાં આવ્યાં છે. આ પ્રણાલીનું શરૂથી અંત સુધી અનુસરણ કરવામાં આવ્યું છે. તેનાથી તેનું નામકરણ કરવામાં આવ્યું છે.
છે.
કથાવસ્તુ
૮૫
૧. પટ્ટાન (પ્રસ્થાન) :
આકારમાં આ અતિ વિસ્તૃત-મોટો ગ્રંથ છે. આ ગ્રંથ ચાર ભાગોમાં વિભક્ત
આના રચિયતા અશોકના ગુરુ મોગલપુત્ત તિસ્ય માનવામાં આવે છે. પરંતુ ત્યાર બાદ પણ તેમાં ઉમેરો થતો ગયો છે.
આ ગ્રંથમાં ૨૩ અધ્યાયોમાં સ્થવિરવાદ સિવાય ૧૭ નિકાયોના ૨૧૬ સિદ્ધાંતોનો પ્રશ્ન રૂપે પૂર્વપક્ષમાં રાખીને ત્યાર બાદ તેના ઉત્તર તથા સમાધાન ઉપસ્થિત કરતાં સ્થવિરવાદી દૃષ્ટિકોણની સ્થાપના કરવામાં આવી છે. અશોકના સમયમાં બૌદ્ધ સંપ્રદાય અનેક ધર્મોમાં વિભક્ત થઈ ગયો હતો. તે સમયે એવું સમજાવાનું મુશ્કેલ બન્યું કે બુદ્ધનું વાસ્તવિક મંતવ્ય ક્યું છે. આ જ ઉદ્દેશને સામે રાખીને મોગલપુત્ત તિસ્યએ આ ગ્રંથની રચના કરી અને એમણે આ ઉદ્દેશ્યની પૂર્તિ કરી અને માટે જ આ ગ્રંથને ત્રિપિટકમાંનો ગ્રંથ તરીકે હોવાનું બહુમાન પ્રાપ્ત થયું. આ ગ્રંથમાં માત્ર દાર્શનિક સિદ્ધાંતોનું જ ખંડન કરવામાં આવ્યું છે અને આ સિદ્ધાંતો કયા સંપ્રદાયોના છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેની આ કમીની પૂર્તિ તેની અદ્ભકથાએ કરી છે. કેટલાક સંપ્રદાયોના સિદ્ધાંતો અને માન્યતાઓ તો એવા છે કે જે અશોક પછી અસ્તિત્ત્વમાં આવ્યા. ઉદાહરણ રૂપે અન્ધક, અપ૨શૈલીય, પૂર્વશૈલીય, રાજગિરિક, સિદ્ધાર્થક, વૈપુલ્ય, ઉત્તરીપથક અને હેતુવાદી. આ એવો સંકેત કરે છે કે આના કેટલાક અંશ ઇસુની પ્રથમ સદી સુધી જોડવામાં આવેલા છે.
આ પ્રમાણે અભિધર્મપિટકમાં અલગ અલગ ગ્રંથોમાં બૌદ્ધ તત્ત્વદર્શનનું નિરૂપણ થયું છે. તે ધર્મસૂત્રોનું દાર્શનિક રૂપ છે. પણ તેની ભાષા અને શૈલીની કલિષ્ટતાને કા૨ણે દુર્બોધ છે. તેને સમજવામાં સુગમ બનાવવાનો પ્રયત્ન વસુબંધુ વગેરે આચાર્યોએ કર્યો.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org