SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ આ ૧૮ વિભંગ આગળ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. ૧. સુત્તા-ભાજનીય ૨. અભિધમ્મ-ભાજનીય ૩. પ્રશ્ન-પૃચ્છક આમાંથી પહેલામાં સૂત્ર અનુસાર, બીજામાં અભિધમ્મની માતિકાઓ અનુસાર, તથા ત્રીજામાં દુક, તિક વિગેરે રૂપમાં પ્રશ્નોત્તરની રીતે વ્યાખ્યા પ્રસ્તુત કરવામાં આવી છે. ધમ્મસંગિણીમાં માત્ર ધર્મોનું વિશ્લેષણ ક૨વામાં આવ્યું છે. પરંતુ વિભંગમાં ધર્મોનું સ્કન્ધ, આયતન, ધાતુ વગેરેમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અહીં પણ ધર્મસંગિણીના કુશળ, અકુશળ તથા અવ્યાકૃત બધાને ગ્રહણ કરી વિભંગમાં પ્રસ્તુત કરવામાં આવે છે. આમ વિભંગ ધમ્મસંગિણી પર આધારિત છે. ધુમ્મસંગિણી વિવિધા આ ગ્રંથને અભિધમ્મનું મૂળ માનવામાં આવે છે. જૂની પરંપરામાં ત્રિપિટકના અલગ અલગ ગ્રંથોને કંઠસ્થ કરીને યાદ રાખનાર સુત્તધર, વિનયધર તથા માતિકાધર તરીકે ઓળખાતા. તે માતિકા આ ગ્રંથમાં સંગ્રહ થયેલી માતિકા હતી. તેમાં નામ (મન, અથવા માનસિક) તથા રૂપ જગતની વ્યાખ્યા પ્રસ્તુત કરવામાં આવી છે, અને આ વ્યાખ્યા કર્મોના કુશળ, અકુશળ તથા અવ્યાકૃત રૂપો તથા વિપાકો વગેરેને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ વ્યાખ્યા નૈતિક છે અને બીજા શબ્દોમાં તેને આપણે બૌદ્ધ નીતિવાદની મનોવૈજ્ઞાનિક વ્યાખ્યા પણ કહી શકાય છે. કારણ કે તેમાં ચિત્ત તથા ઐતિસિક ધર્મોનું કુશળ, અકુશળ તથા અવ્યાકૃત રૂપમાં વિશ્લેષણ પ્રસ્તુત કરવામાં આવે છે. માતિકાનાં ૧૨૨ વર્ગીકરણ અહીં છે, જેમાં ૨૨ તો ત્રણ ત્રણ શીર્ષકોમાં વિભક્ત કરીને આપવામાં આવી છે. અને બાકીના ૧૦૦ ને બબ્બેના શીર્ષકોમાં. આ જ ક્રમસહ તિક અને દુક કહેવામાં આવે છે. આજ તિક અને દુક દ્વારા ધર્મોનું સંપૂર્ણ વિશ્લેષણ ધર્મસંગિણીમાં ક૨વામાં આવ્યું છે. આ પ્રણાલી અભિધમ્મના અન્ય ગ્રંથોમાં પણ અપનાવવામાં આવી છે. ધાતુકથા સ્કન્દ, આયતન અને ધાતુ આ ત્રણ ધાતુકથાના વિષય છે. આ પ્રકારે વિભંગના ૧૮ વિભંગોમાંથી સ્કન્ધ, આયતન તથા ધાતુ આ ત્રણ વિભંગોને ગ્રહણ કરી તેનું વિશ્લેષણ ક૨વામાં આવ્યું છે. આ પ્રકારે આ ગ્રંથનું શીર્ષક વિષયવસ્તુની દૃષ્ટિએ ધાતુકથાની જગ્યાએ સ્કન્ધ-આયતન-ધાતુકથા હોવું જોઈએ. આ ગ્રંથોમાં આ ત્રણનો સંબંધ ધર્મોની સાથે કેવા પ્રકારે છે તેને સમ્યક રૂપે પ્રદર્શિત કરવામાં આવ્યું છે. કયા કયા સ્કન્ધ, આયતન અથવા વિનંગમાં કયા કયા ધર્મ સંગ્રહિત, અસંગ્રહિત, સમ્પ્રયુક્ત અથવા વિપ્રયુક્ત હોય છે, તે બધાનું વિવેચન અહીં ૧૪ અધ્યાયોમાં પ્રશ્નોત્તર રૂપે ક૨વામાં આવ્યું છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy