________________
ત્રિપિટક સાહિત્ય
૮૩
કત
(માતૃકા) તરીકે ઓળખાતો હતો. ત્રીજી સંગીતિ પછી અભિધમ્મપિટકનું સંકલન થયું હોવાનું પણ મનાય છે. તેમાં સાત ગ્રંથો છે. સર્વાસ્તિવાદી અભિધમ્મની અંતર્ગત સાત ગ્રંથો છે. જેમાં જ્ઞાનપ્રસ્થાન મુખ્ય છે.
ગ્રંથ ૧. જ્ઞાનપ્રસ્થાન શાસ્ત્ર આર્ય કાત્યાયન ૨. પ્રકરણવાદ
સ્થવિર વસુમિત્ર ૩. વજ્ઞાનકાયવાદ
સ્થવિર દેવશર્મા ૪. ધર્મ સ્કન્ધપાદ
આર્યસારિપુત્ર ૫. પ્રજ્ઞપ્તિશાસ્ત્રપાદ
આર્ય મોદગલ્યાયન ૬. ધાતુકાયપાદ
પૂર્ણ (વસુમિત્ર) ૭. સંગીતિપર્યાયપાદ મહાકૌષ્ઠિક (શારિપુત્ર) પુગ્ગલપતિ
પુદ્ગલનો અર્થ થાય છે વ્યક્તિ, વ્યક્તિની પ્રજ્ઞપ્તિ કરવાનો આ ગ્રંથનો વિષય છે. આ ગ્રંથમાં વ્યક્તિનું વિવિધ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવેલ છે. એક એક પ્રકારની વ્યક્તિથી શરૂ કરીને દશ પ્રકારની વ્યક્તિ સુધીનો નિર્દેશ આ ગ્રંથમાં છે. માટે જ આ ગ્રંથ દસ અધ્યાયોમાં વહેંચાયેલો છે. તેમાં પ્રથમ પ્રશ્ન કરવામાં આવેલ છે અને ત્યાર બાદ તેનો જવાબ આપવામાં આવ્યો છે, એ પ્રશ્નોત્તર શૈલીનું અનુકરણ અહીં થયું છે. વિભંગ
આ અભિધમ્મપિટકનો બીજો ગ્રંથ છે. શરૂઆતમાં વિભંગનો અર્થ વ્યાખ્યા થતો હતો. જેવી રીતે પ્રતિમોક્ષની વ્યાખ્યા વિભંગ કહેવામાં આવે છે, જેમાં સ્કંધોનું વિવરણ આપેલું છે. બૌદ્ધ માન્યતા અનુસાર વસ્તુ કોઈ ચીજ નથી. રૂપ (મહાભૂત), વેદના, સંજ્ઞા, સંસ્કાર તથા વિજ્ઞાન આ પાંચ સ્કન્ધોથી વધુ આત્મા નામના કોઈ પદાર્થની સ્થિતિ નથી. આ પાંચ સ્કન્ધોની અહીં વ્યાખ્યા આપવામાં આવી છે.
વિભગના નીચેનાં ૧૮ પ્રકરણોમાં તે વિભાજિત છે. તેના નામને આધારે વિષયની સ્પષ્ટતા મળે છે.
૧. સ્કન્ધ, ૨. આયતન, ૩. ધાતુ, ૪ સત્ય, ૫. ઇન્દ્રિય, ૬. પ્રત્યયાકાર, ૭. સ્મૃતિપ્રસ્થાન, ૮. સમ્યકપ્રધાન, ૯. ઋદ્ધિપાદ, ૧૦. બોથંગ, ૧૧. માર્ગ, ૧૨. ધ્યાન, ૧૩. અપરિમાણ, ૧૪. શિક્ષાપાદ, ૧૫. પ્રતિસંવિદ, ૧૬. જ્ઞાન, ૧૭. મુદ્રકવસ્તુ (સુદ્રકવસ્તુ) અને ૧૮. ધર્મ હૃદય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org