SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ વિવિધા શિષ્યો મોગલાન, મહાકશ્યપ, અનુરુદ્ધ પૂર્ણ મૈત્રાયણીય પુત્ર, ઉપાલિ, અજ્ઞાત કૌડિન્ય, મહાપ્રજાપતિ ગૌતમી વગેરેના પૂર્વજન્મોનું વર્ણન છે. ગાથા કહેવાવાળો પોતે સ્થવિર છે. તેની વાણી મર્મસ્પર્શી છે. બુદ્ધ વંસ આ પદ્યાત્મક ગ્રંથ છે. જેમાં ૨૮ પરિચ્છેદનો સમાવેશ થાય છે. તેમાં દીપંકરથી આરંભીને શાક્યમુનિ સુધીના ૨૪ પૂર્વ બુદ્ધ જન્મોનું વર્ણન છે. આ રચનામાં બુદ્ધને દેવ રૂપે બતાવવામાં આવ્યા છે. ચરિયાપિટક ખુદ્દક નિકાયનો આ છેલ્લો ગ્રંથ પદ્ય સ્વરૂપનો છે. તે ૬ પરિચ્છેદોમાં વહેંચાયેલો છે. જેમાં ૨૫ જીવનચર્યાનું વર્ણન છે. તેમાં ભગવાન બુદ્ધ કેવી રીતે દાન, શી, વૈષ્કર્મ, અધિષ્ઠાન, સત્ય, મૈત્રી અને ઉપેક્ષા જેવી સાત પારમિતાઓની પૂર્તિ તેમના આગળના જન્મોમાં કરી તેનું વર્ણન છે. આ પારમિતાઓનું વર્ણન વ્યક્તિનાં ચરિત્ર રૂપે કરવામાં આવ્યું છે. ગ્રંથ પરથી કહી શકાય કે પરિમતાને આદર્શ બનાવી લોકો સામે મૂકવા આ ગ્રંથની રચના કરવામાં આવી હશે. અભિધમ્મપિટક અભિધમ્મપિટક પાલિ ત્રિપિટકનો ત્રીજો મુખ્ય ભાગ છે. અભિધર્મનો અર્થ ઉચ્ચ ધર્મ અથવા વિશેષ ધર્મ એમ કહી શકાય. પણ ધર્મ તો સર્વત્ર એક જ છે. અભિધમ્મ પિટકમાં બુદ્ધનાં મંતવ્યોને વર્ગીકૃત કરી તેનું વિશ્લેષણ કરેલું છે. સુત્તપિટકમાં સાધારણ વ્યક્તિ માટે ધર્મબોધ છે પણ અભિધમ્મ પિટક માટે એમ કહી શકાય કે જેને બૌદ્ધ તત્ત્વદર્શનમાં રસ છે તેવા વ્યક્તિ માટે અભિધમ્મ પિટકનું ઘણું મહત્ત્વ છે. જે ધર્મ સુત્તપિટકમા ઉપદેશરૂપે છે અને વિનયપિટકમાં સંયમરૂપે છે, તે અભિધર્મમાં તત્ત્વરૂપે નિહિત છે. બૌદ્ધ ધર્મ અને દર્શનમાં ચિત્ત જ કેન્દ્રસ્થાને છે. તેમાં ચિત્ત, ચૈતસિક, રૂપ અને નિર્વાણ- એ ચારને જ પરમાર્થ સત્ય માનવામાં આવે છે. અભિધર્મમાં એક વિશિષ્ટ શૈલી દ્વારા તેનું નિર્ભ્રાન્ત જ્ઞાન આપવાનો પ્રયત્ન થયો છે. ધર્મનો પર્યાય આપવો, તેનું સૂક્ષ્મ વિભાજન કરવું અને વ્યાખ્યા આપવી તે પદ્ધતિ અને પરિપ્રશ્નાત્મક શૈલી તેમાં નોંધપાત્ર છે. અભિધમ્મ પિટક ધર્મના ઊંડાણમાં લઈ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે અભિધમ્મનું જ્ઞાન ભગવાને તેમની માતા મહામાયા અને દેવતાઓને સૌ પ્રથમ આપ્યું. અભિધમ્મપિટકનું જ્ઞાન ત્યાર બાદ ભગવાને સેનાપતિ સારિપુત્રને અને સારિપુત્રએ ૫૦૦ ભિક્ષુઓને આ જ્ઞાન આપ્યું હતું. આમ ભગવાનના સમયમાં જ ૫૦૧ ભિક્ષુ અભિધમ્મ પિટકનું જ્ઞાન ધરાવતા હતા. ‘અભિધમ્મ નું સંગાયન પ્રથમ બે સંગીતિમાં થયું હતું કે નહિ તે નિશ્ચિત થઈ શકતું નથી. તેનો મૂળ ભાગ માતિકા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy