________________
ત્રિપિટક સાહિત્ય
૮૧
પૂરી પાડે છે. મૂળ રૂપે ગાથાઓના ભાગને જ જાતકકથા માનવામાં આવે છે. પણ કથા વગર જાતકનું મૂલ્ય નથી.
ન જાતકમાં પ્રથમ “નિદાનકથા” છે, જે તેની ભૂમિકા બાંધે છે, ત્યાર બાદ “પ્રત્યુત્પન્ન વધુ માં વર્તમાન સંદર્ભ, “અતીત વત્યુ'માં પ્રાચીન કથા છે, ‘અસ્થિવUIનાં'માં ગાથા ભાગની ટીકા છે અને “મોધાન'માં બુદ્ધ પ્રાચીન તથા વર્તમાન કથામાં પોતાનું શું પ્રદાન હતું, તે વર્ણવે છે. આ ચાર બાબતો જાતકમાં આવે છે.
મોટાભાગની જાતક કથા ચમ્પ રૂપે છે. જેમાં ગદ્ય અને પદ્યનું મિશ્રણ છે. પ્રાચીન ભારતમાં આ શૈલી અપનાવવા આવી હતી, તેમાં ગદ્યમાં કહેલી વાર્તાનું સમર્થન પદ્ય તથા શ્લોક દ્વારા કરવામાં આવતું. લોકકથાના રચયિતા અને ગાયક ગાથાઓને પ્રશ્નોત્તર રૂપે સંભળાવતા-કલ્પિત વાર્તાના લેખક કથાબીજને એક યા બે શ્લોકમાં લખી દેતા.
ભરાહુત તથા સાંચીની દિવાલો પર અંકિત થયેલાં ચિત્રોથી એ વાતને પુષ્ટિ મળે છે કે જાતક કથાઓ ઈ.સ. પૂ. તૃતીય યા દ્વિતીય શતાબ્દીની બૌદ્ધ પરંપરાને પ્રગટ કરે છે. જાતકોના ઇતિહાસને જાણવા માટે આ ચિત્રો અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જાતક કથાઓના સંગ્રહમાં કથા સાહિત્યના બધાં રૂપ જોવા મળે છે. જાતક કથાઓ વિશ્વ-લોક સાહિત્યનો મહત્ત્વનો ભંડાર છે. નિદેસ
ચૂલનિદેસ તથા મહાનિદેસ તેના જ બે ભાગ છે. નિદેસ પરથી આપણે જાણી શકીએ કે પ્રાચીન સમયમાં આગમોના પાઠોની વ્યાખ્યા કેવી રીતે થતી હતી. તેમાં ધાર્મિક નિયમોની શિક્ષાત્મક વ્યાખ્યાની સાથે સાથે વ્યાકરણ અને કોશ સંબંધી વ્યાખ્યા પણ છે. મહત્ત્વપૂર્ણ પારિભાષિક શબ્દોની વ્યાખ્યા, શબ્દોના અર્થ બતાવ્યા છે, જે લગભગ કંઠસ્થ કરવામાં આવતા. મહાનિદેસમાં ઘણા દેશો અને બંદરોનો ઉલ્લેખ છે. જેની સાથે ભારતનો વાણિજ્ય વ્યવસાય સંકળાયેલ છે. પટિસર્ભિકામગ
આ ગ્રંથમાં દસ મોટા પરિચ્છેદ છે. પ્રત્યેક પ્રકરણ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતને પ્રતિપાદિ કરે છે. તેમાં બધા વિષય અભિધમ્મ પ્રમાણે પ્રશ્નોત્તર રૂપે છે. સૂત્રોની જેમ અહીં પણ “હે ભિક્ષુ !” કહી સંબોધન કરવામાં આવે છે. અપાદાન
અપાદાન પણ જાતકની જેમ વિશાળ ગ્રંથ છે. અપાદાન (અવદાન) નો અર્થ છે ચરિત્ર કે ચરિત. જેમાં વ્યક્તિના આત્મબલિદાન અથવા આત્મત્યાગની વાત છે. તેના બે મુખ્ય ભાગ છે. ૧. થર અપાદાન, ૨. થેરી અપાદાન. તેમાં ૬૨૮૬ સ્થવિર સંબંધી ગાથાઓ છે. જ્યારે ૧૨૬૭ થેરીઓ સંબંધી ગાથાઓ છે. બુદ્ધ અને તેમના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org