________________
ત્રિપિટક સાહિત્ય
ઇતિવૃત્તક
આ ગ્રંથમાં ગદ્ય તથા પદ્ય બંનેનું મિશ્રણ છે. તેમાં ૧૧૨ સૂત્રો છે. જેમાં ૫૦ સૂત્રો એવાં છે કે એક જ વિચાર પહેલા ગદ્યમાં હોય ત્યાર બાદ તેની આવૃત્તિ પદ્યમાં હોય. ગદ્ય તથા પદ્ય બંનેની ભાષા સાદી અને સરળ છે. આ ગ્રંથમાં ઉદારતાપૂર્વક દાન આપનાર દાનવીરની સરખામણી વાદળ સાથે કરવામાં આવી છે, જે પહાડ તથા ખીણો બધે જ વર્ષે છે. (સં. ૭૨) સંતે કુસંગ છોડી દેવા જોઈએ (સં. ૭૭). ઇન્દ્રિયો દ્વાર છે, જેના પર પૂરી રક્ષા કરવી જોઈએ. (સં. ૨૮-૨૯) બુદ્ધ પોતાની સરખામણી વૈદ્ય સાથે કરતા તથા ભિક્ષુકોને પોતાના પુત્રો અથવા ઉત્તરાધિકારી ગણતા બતાવવામાં આવ્યા છે.
ઇતિવૃત્તકના દરેક સૂત્રમાં “ઇતિવૃત્ત ભગવતા” (આવું ભગવાને કહ્યું) આ કથન વારંવાર આવે છે, તેથી તેનું નામ ઇતિવૃત્તક પડ્યું છે.
સુત્તનિપાત
૭૯
બુદ્ધ વચનોમાં કાળ દૃષ્ટિએ સુત્તનિપાત્તનું અત્યંત મહત્ત્વ છે. બુદ્ધના સમયમાં “અદ્ભુવન”” તથા ‘“પરાયા વળ’પ્રસિદ્ધ થઈ ગયા હતા અને સોણ કુટિકણે એ સંપૂર્ણ “અટ્ઠ વળ”નો પાઠ ભગવાન બુદ્ધ સમક્ષ કર્યો હતો એવો ઉલ્લેખ મળે છે. આપરથી તેની પ્રાચીનતા સિદ્ધ થાય છે. બૌદ્ધ સાહિત્યમાં ઉદાહરણો માટે ધમ્મપદ પછી સુત્તનિપાતનો ક્રમ આવે. કાવ્યની દૃષ્ટિએ તેમાંનાં સૂત્રો ઉચ્ચ કોટિનાં માનવામાં આવે છે. સુત્તનિપાત્તનું ઐતિહાસિક મહત્ત્વ એ વાતથી સ્પષ્ટ થાય છે કે સમ્રાટ અશોકે ભા‰ શિલાલેખમાં જે સાત મુખ્ય સુત્તોનો ઉલ્લેખ કર્યો છે તેમાંથી ત્રણ અથવા ચાર સૂત્રો સુત્તનિપાતનાં છે.
આ ગ્રંથની ભાષા પર વૈદિક ભાષાનો પ્રભાવ છે. સુત્તનિપાત પાંચ વગ્ગો અને અનેક સૂત્રોમાં વહેંચાયેલો ગ્રંથ છે. ૧. ઉરગવગ્ગ જેમાં ૧૦ સૂત્રો છે. ૨. ચુલવર્ગીમાં ૧૪ સૂત્રો છે. ૩. મહાવર્ગમાં ૧૨ સૂત્રો છે. ૪, અરૃકવર્ગીમાં ૧૬ સૂત્રો છે. ૫. પારાયણવર્ગમાં ૧૯ સૂત્રોનો સમાવેશ થયેલ છે
કેટલાકમાં ગાથાઓની સંખ્યા વધુ તો કેટલાકમાં ઓછી છે. વચ્ચે વચ્ચે કાવ્યની રીતે ગધાત્મક ઉપદેશો તથા ગદ્યની સાથે પદ્યમાં ઉપદેશો સાથે સાથે શુદ્ધ સંવાદો, આખ્યાનો, તથા વીર કાવ્યની શૈલી પણ જોવા મળે છે. જેમાં સંવાદ-ગાથા તથા કથાનક-ગાથા પરસ્પર મળેલી છે. પ્રાચીન સંસ્કૃત મહાકાવ્યોની જેમ આખ્યાનો પણ છે કે જેમાં ગદ્ય તથા પદ્ય પણ છે. ક્યાં ક્યાંક વૈદિક ભાવોનાં ઉદાહરણો પણ જોવા મળે છે. બ્રાહ્મણ ધમ્પિક સૂત્ર (૨.૭) માં સાચો બ્રાહ્મણ કેવો હોય, કેવી રીતે તેઓ સંયમી જીવન વ્યતિત કરતા તેનું વર્ણન છે. તેનાથી વિરુદ્ધ બ્રાહ્મણો કેવી રીતે હિંસા તરફ વળ્યા, રાજા ઇક્ષ્વાકુએ તેમને ધન અને સુંદરીઓ ભેટ આપી, કેવી રીતે બ્રાહ્મણો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org