________________
ત્રિપિટક સાહિત્ય
૭
ભિક્ષુઓ અથવા તેમના મુખ્ય શિષ્યો અને ભિક્ષુઓના સંવાદરૂપે છે.
પ્રત્યેક સૂત્ર સ્વયં એક પૂર્ણ ઘટક છે. તે તથાગતના ઉપદેશનો તેનાં પ્રાસંગિક પૂર્ણ સંદર્ભ સાથે અથવા તેમનાં જીવન સંબંધી કોઈ ઘટનાનો પૂરો પરિચય આપે છે. પ્રત્યેક સૂત્રના આરંભમાં પ્રાયઃ તેના વિશની ઐતિહાસિક તેમજ ભૌગોલિક ભૂમિકા આપેલી હોય છે. “મેં આ પ્રમાણે સાંભળેલું છે.' એવા વિધાનથી દરેક સૂત્રનો આરંભ થાય છે. સૂત્રના અંતમાં મહદરૂપે ભિક્ષુઓ દ્વારા ભગવાનના ભાષણનું અનુમોદન થાય છે. અન્યથા પણ પ્રત્યેક સૂત્રોમાં કેટલીક સમાનતાઓ જોવા મળે છે. જેમ કે તથાગતનો ઉપદેશ સાંભળ્યા બાદ શ્રોતા દ્વારા આશ્ચર્ય... હે ગૌતમ, આશ્ચર્ય...' એવાં અહોભાવપૂર્ણ વચનો કહેવામાં આવે છે. કેટલીક પરંપરાગત પ્રણાલિકાઓ અને શિષ્ટાચારનું વર્ણન સમાન રીતે થયેલું છે.
ગ્રંથની રચનાનો મુખ્ય હેતુ તત્ત્વબોધ ના હોવા છતાં તેમાં યોજાયેલી ઉપમાઓ અત્યંત સુંદર, સ્વાભાવિક અને મર્મસ્પર્શી હોવાને કારણે તે સુબોધ અને સુગ્રાહ્ય બની રહ્યો છે. અગ્નિ, અંધ-વેણી, પરંપરા, આમાવસ્યાનો ચંદ્ર, માલુવાલતા, નાગ-વનિક, કુમ્ભીર-ભય, હસ્તિપદ, સાર-ગવેષી પુરુષ આદિ અનેક ઉપમાઓ અને દૃષ્ટાંતોના યથોચિત વિનિયોગને કારણે “મઝિમનિકાય' સાહિત્યિક દૃષ્ટિએ પણ મૂલ્યવાન ગ્રંથ બની ચૂક્યો છે. તત્ત્વદર્શન ઉપરાંત જીવન અને જગત વિશેનું વ્યાપક જ્ઞાન આ દૃષ્ટાંતો દ્વારા મળે છે.
- ઉપમાઓના બાહુલ્ય ઉપરાંત સંવાદત્મક શૈલી, ઉપદેશોની વચ્ચે ઇતિહાસ કે આખ્યાનોનું વર્ણન નાટકીય ક્રિયાત્મક્તા, ટૂંકાં વાક્યો, લોકભોગ્ય સરળ ભાષા તથા પ્રાસાદિક ગદ્યની સાથે પદ્યમાં આવતી ગાથાઓને કારણે “મઝિમનિકાય' પાલિ ત્રિપિટક સાહિત્યનો નોંધપાત્ર ગ્રંથ બની રહે છે.
મઝિમનિકાય'માં બૌદ્ધ દર્શનની સાથે સાથે તત્કાલીન શ્રમણ, બ્રાહ્મણ, પારિવ્રાજક વગેરેનાં જીવન, તેમના પારસ્પરિક સંબંધો, જન સમાજમાં પ્રચિલત ઉદ્યોગો અને વ્યવસાય, મનોરંજનના સાધનો, વર્ણવ્યવસ્થા, યજ્ઞાયાગાદિ, ભૌગોલિક પરિસ્થિતિ, રીત રિવાજો, ગામ-નિગમ, નદી, પર્વત આદિનું વર્ણન-દાસ દાસીઓ અને સ્ત્રીઓની સામાજિક પરિસ્થિતિ, તત્કાલીન રાજનીતિ વગેરે વિશે માહિતી મળે છે, જે તત્કાલીન સમાજજીવનને તાદ્દશ્ય કરે છે. આ ગ્રંથ વિશે રાહુલ સાંકૃત્યાયને જણાવ્યું છે કે સમગ્ર ત્રિપિટકની અપેક્ષાએ કેવળ મઝિમનિકાયનું જ અધ્યયન કરવામાં આવે તો પણ બૌદ્ધદર્શનનો સંપૂર્ણ પરિચય તેમાંથી મળી શકે છે. ખુદુકનિકાય
ખુદ્દકનો અર્થ શુદ્રક એટલે નાના નાના અંશોનો સંગ્રહ. આ સુત્તનિપાતનો પાંચમો ગ્રંથ માનવામાં આવે છે. જેમાં પંદર ગ્રંથો અથવા રચનાઓનો સમાવેશ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org