________________
૭૬
વિવિધા
અંગુત્તર નિકાય
અંગુત્તર નિકાયમાં ૨૩૦૮ સૂત્રોની સંખ્યા છે. પણ અલગ અલગ પુસ્તકોમાં તેની સંખ્યા અલગ અલગ પણ બતાવવામાં આવી છે. જેમકે “સમન્સપાસાદિકા'માં ૬૫૫૭ સૂત્રોની સંખ્યા બતાવવામાં આવી છે. આ નિકાયમાં વર્ણિત વિષયોને એક, બે ત્રણ એમ ક્રમમાં રાખ્યા હોવાથી તેને અંગુત્તરનિકાય એમ નામ આપવામાં આવ્યું છે. સૂત્રોની સંખ્યા વધુ હોવાથી તે નાના છે.
અંગુત્તર નિકાયમાં ૧૧ નિપાત છે. જે અનેક વન્ગોમાં વિભાજિત છે. જે નીચે પ્રમાણે છે : નિપાત વિષ્ણુની સંખ્યા નિપાત વગ્સની સંખ્યા ૧. એક્ક નિપાત ૨૦
૬. છક્ક નિપાત ૧૨ ૨. દુક નિપાત ૧૭ ૭. સત્તક નિપાત ૧૦ ૩. તિક નિપાત ૧૬ ૮. અઢક નિપાત ૧૦ ૪. ચતુક્ક નિપાત ૨૭ ૯. નવક નિપાત દ ૫. પચ્ચક નિપાત ૨૬ ૧૦. દસક નિપાત ૨૨
૧૧. એકાદસ નિપાત ૩ મઝિમનિકાય
મઝિમનિકાયનું સુત્તપિટકના બાકીના ગ્રંથોની અપેક્ષાએ મહત્ત્વનું સ્થાન છે. તેના અભ્યાસ દ્વારા ગૌતમ બુદ્ધના વ્યકિત્વ, જીવનદર્શન તથા ધર્મદર્શન વિશેનું પર્યાપ્ત જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. “મઝિમનિકાય'માં બૌદ્ધધર્મના કેટલાક મહત્ત્વના સિદ્ધાંતોનું પ્રતિપાદન તથાગત તથા તેમના અગ્રશિષ્યો દ્વારા કરવામાં આવ્યું છે. ગ્રંથનું રચનાવિધાન, ગ્રંથમાં નિરૂપિત તથાગત વિશેની પ્રાપ્ત વિગતો બૌદ્ધ દર્શનના સિદ્ધાંતો, દાર્શનિક પરિભાષાઓ, ભિક્ષુઓ અને ભિક્ષુસંઘ માટેની તથાગતની કલ્યાણકામના અને ઉપદેશષ તત્કાલીન વર્ણવ્યવસ્થા, ધાર્મિક આચાર, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પરિવેશ વગેરે પર આ ગ્રંથ પ્રકાશ પાથરે છે. ગ્રંથનું રચનાવિધાન અને સાહિત્યિક મૂલ્ય
મજિઝમનિકાય' નાં ૧૫ર સૂત્ર ત્રણ ‘પણાસક' (પચાસની સંખ્યામાં વિભાજિત) મૂળ, મઝિમ અને ઉપરિપરણાસકમાં વિભાજિત થયેલાં છે. અલબત્ત ત્રીજા ઉપરિપણાસકમાં ૫૦ ને બદલે પર સૂત્રો છે. પ્રત્યેક પણાસકમાં દસ દસ સૂત્રોના પાંચ વર્ગ છે. તેમાં બાર સૂત્રો છે. વર્ગોનું નામાભિધાન પ્રથમ સૂત્ર કે તેમાં વર્ણિત વિષય કે સંબોધિત વ્યક્તિને આધારે કરવામાં આવ્યું છે. સૂત્રો અતિ દિર્ઘ કે અતિ સંક્ષિપ્ત નથી પણ ગ્રંથના નામ અનુસાર મધ્યમ કોટિનાં છે. ભગવાન અને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org