SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ વિવિધા વિનયપિટક બૌદ્ધ સંઘમાં વિનયપિટકનું સ્થાન મહત્ત્વનું રહ્યું છે. આરંભકાળથી જ વિનયપિટકને સુત્તપિટકથી પણ વધારે મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું હતું. એમ મનાય છે કે જ્યાં સુધી વિનયપિટક પોતે મૌલિક સ્વરૂપમાં હશે ત્યાં સુધી બૌદ્ધ શાસન જીવંત રહેશે. પ્રથમ સંગીતિમ સભાપતિ મહાકાશ્યપે ભિક્ષુકોને પુછ્યું “આયુષ્યમાનો, આપણે પહેલા કોનું સાંગાયન કરવું ? ધમ્મનું કે વિનયનું?” ત્યારે ભિક્ષુઓએ તેનો જવાબ આપ્યો “ભન્ત, મહા કાશ્યપ વિનય જ બુદ્ધ શાસનનું જીવન છે. વિનયમાં રહેવાથી જ બુદ્ધનું શાસન રહેશે. માટે પ્રથમ વિનયનું સાંગાયન કરવું.” આ પ્રમાણે શરૂઆતથી જ ત્રિપિટકમાં વિનયપિટકનું મહત્ત્વ સ્પષ્ટ છે. વિનયપિટકમાં નિયમોમાં દેશ અને કાળની પરિસ્થિતિનું અનુસરણ પણ છે. આજથી અઢી હજાર વર્ષ પહેલાં ભારતીય સામાજિક પરિસ્થિતિ પ્રમાણે ભિક્ષુ. ભિક્ષુણીઓ, ઉપાસક અને ઉપાસિકાઓ માટે આચાર સંબંધી જે નિયમોનું વિધાન કર્યું તે બધા માટે અનુકરણીય રહ્યું. વિનયપિટક કેવળ સંઘ સંબંધી નિયમોના સંગ્રહ હોવા છતાં આજે આપણે માટે એ વિશેષ ઐતિહાસિક ગૌરવનો વિષય છે, કારણ કે ધર્મથી મહત્ત્વપૂર્ણ સદાચાર છે. સમાજમાં જુદા જુદા ઉતાર-ચઢાવ આવે પણ વિનયનું નિયમન અવરુદ્ધ નથી થયું, તે અબાધ ગતિથી ચાલ્યા કરે છે. વિનય વ્યક્તિના આંતરમનની વસ્તુ છે તે સ્વવિવેકથી નિશ્ચિત હોય છે. તેનું મૂળ સંયમ છે. કાયા, વાણી અને મનનો સંયમ કરવાનું સાધન વિનય છે. વિનયપિટક બૌદ્ધ ધર્મની દષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે જ, પણ તેની સાથે સાથે આ ગ્રંથ ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે જુદા જુદા માણસો અને સમાજવિજ્ઞાનને સંબંધિત વિષયો માટે પણ અધિક ઉપયોગી છે. સુત્તપિટક સુત્તનો અર્થ “સારી રીતે કહેવાયેલું' એમ કહી શકાય. સુત્તપિટકનો ઉદ્દેશ ભગવાનના ઉપદેશોનો સંગ્રહ કરવાનો છે. સુત્તપિટકમાં માત્ર ભગવાનના જ નહીં, પણ તે સમયના વરિષ્ઠ શિષ્યો જેવા કે આનંદ, સારિપુત્ર, મૌદ્ગલ્યાયનના ઉપદેશો પણ સંગ્રહિત થયેલા છે. સુત્તપિટકમાં ગદ્ય તથા પદ્ય બંને જોવા મળે છે. સુત્તપિટકમાં સૌ પ્રથમ દાન, શીલ તથા સદાચારના ઉપદેશો બુદ્ધ ભગવાનને આપ્યા છે. આ ઉપદેશો સમજાવવા ભગવાન ઉદાહરણો આપતા, તથા શ્રોતાની યોગ્યતા પ્રમાણે ધર્મોપદેશો કરતા. સુત્તપિટકમાં તે સમયના બ્રાહ્મણો, શ્રમણો, પરિવ્રાજકોના તેમના બુદ્ધ પ્રત્યેના વિચારો, બુદ્ધના તેમના વિશેના અભિપ્રાયો, તેમના પારસ્પરિક સંબંધોનું દર્શન થાય Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy