________________
ત્રિપિટક સાહિત્ય
૭૩
ત્રિપિટક સાહિત્ય સદ્ધર્મ ચિરાયુ બનાવવા માટે ગૌતમ બુદ્ધ ધર્મવાણીને શુદ્ધ, સુવ્યવસ્થિતરૂપમાં સુરક્ષિત રાખવા અને પોતે જે ધર્મનો સ્વયં અભિજ્ઞાન કરીને ઉપદેશ આપ્યો હતો તેનું વિવાદરહિત બનીને સાંગાયન કરવા જણાવ્યું હતું, જેથી તેનો અર્થ પણ યથાતથ જળવાઈ રહે. ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ બાદ મહાસ્થવિર કાશ્યપના નેતૃત્વમાં ૫૦૦ મુખ્ય શિષ્યોએ તેમના આદેશને ચરિતાર્થ કરવા પ્રથમ સામૂહિક સાંગાયનનું આયોજન રાજગૃહમાં કર્યું. ત્યાર બાદ સમયાન્તરે ભારતમાં, શ્રીલંકામાં અને બર્મામાં અલગ અલગ સંગીતિઓનું આયોજન કરીને ધર્મવાવણીને સુવ્યવસ્થિતરૂપે સંકલન કરવાના પ્રયાસો ચાલુ રહ્યા, છેવટે ઈ.સ. ૧૯૫૪-૫૬ માં બ્રહ્મદેશમાં થયેલી સંગીતિમાં પાલિ ત્રિપિટકની હાલમાં ઉપલબ્ધ અંતિમ વાચના તૈયાર કરવામાં આવી. તે સાથે ભગવદ્ વાણીને કંઠસ્થ કરીને તેની પરંપરા ચાલુ રાખવાની પદ્ધતિ પણ કાયમ રહી
ગૌતમ બુદ્ધ જે ધર્મોપદેશ આપ્યો છે તે ત્રિપિટકના ગ્રંથોમાં સંકલિત થયો છે. તેમનો ધર્મ બહુજન હિતાય, બહુજન સુખાય...' હોવાથી તત્કાલીન મગધના આસપાસના પ્રદેશોમાં બોલાતી લોકભાષા પાલિ ભાષામાં આ ઉપદેશ અપાયો હતો. તેથી ત્રિપિટકના ગ્રંથોની ભાષા પાલિ છે.
ત્રિપિટકનું વિભાજન આ પ્રમાણે કરવામાં આવ્યું છે : ૧. વિનયપિટક : તેના નીચે પ્રમાણે વિભાગો છે :
૧. પારાજિક, ર.. પાચિત્તિય, ૩. મહાવગ્ન, ૪. ચૂલવષ્ણુ અને પ. પરિવાર,
૨. સુત્તપિટક : તેનું વિભાજન આ પ્રમાણે છે :
૧. દીઘનિકાય, ૨. મજિઝમનિકાય, ૩. સંયુક્તનિકાય, ૪. અંગુત્તર નિકાય અને ૫. ખુદ્દકનિકાય.
ખુદ્દકનિકાય અંતર્ગત આ ગ્રંથોનો સમાવેશ થાય છે
ખુદૂક પાઠ, ધમ્મપદ, ઉદાન, ઇતિવૃત્તક, સુત્તનિપાત, વિમાનવત્યુ, પેતવત્યુ, થેરગાથા, થેરીગાથા, અપદાન, બુદ્ધવંસ, ચરિયાપિટક, જાતક, મહાનિદેસ, ચૂળનિદેસ, પટિસન્મિદામગ.
૩. અભિધમ્મપિટક : તેના મુખ્ય ગ્રંથો આ પ્રમાણે છે :
૧. ધમ્મસંગણિ, ૨. વિભંગ, ૩. ધાતુકથા, ૪. પુગ્ગલપંથ્યતિ, ૫. કથાવત્થ, ૬. યમક અને ૭. પટ્ટાન.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org