________________
પાલિભાષા
૭૧
બોલીઓના સંમિશ્રણથી થયો છે. એટલે જ જેને માગધી કે પ્રાકૃત ભાષા કહેવામાં આવે છે, તેનાથી તેનું સ્વરૂપ ભિન્ન હોવાનું જણાય છે. પાલિભાષાને પ્રાકૃત ભાષાના એક પ્રકાર તરીકે પણ માનવામાં આવે છે. ઈ.સ. પૂ. પાંચસોથી આ ભાષાઓમાં-પાલિ અને પ્રાકૃત ભાષાઓમાં બુદ્ધ અને મહાવીરના ધર્મોપદેશને અનુસરીને જે સાહિત્ય રચાયું પશ્ચાદ્વર્તી ભાષાસાહિત્યના થયેલા વિકાસ માટે મહત્ત્વનું પરિબળ બન્યું છે. મહારાષ્ટ્રી, શૌરસેની, પૈશાચી વગેરે પ્રાકૃત ભાષાઓ અને અપભ્રંશની જેમ પાલિભાષામાં લખાયેલા પિટક અને અનુપિટક સાહિત્ય ભાષાસાહિત્ય અને સંસ્કૃતિના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org