________________
७०
પંક્તિ પાલિ કહેવાઈ હશે.
(૬) મેક્સમૂલરના મતે બુદ્ધે મૂળ પાટલિપુત્રના આસપાસના પ્રદેશમાં ત્યાંની ભાષામાં ઉપદેશ આપ્યો હતો. પાટલિપુત્રની ભાષા તે પાલિ. તેમના મતે પાલિ શબ્દ પાટલિમાંથી બન્યો છે :
પાટિલ > પાલિ > પાલિ.
(૭) પલ્લિ (=ગામડું) માંથી પણ પાલિ શબ્દ બન્યો હોવાની માન્યતા છે. (૮) પા
જે પાલન કરે છે, રક્ષા કરે છે તે પાલિ. બુદ્ધવચનનું રક્ષણ કરે છે, તે પાલિ.
વિવિધા
(૯) ભિક્ષુ સિદ્ધાર્થને મતે પાઠમાંથી ‘પાલિ’ શબ્દ બન્યો છે.
ટૂંકમાં પાલિ શબ્દની ઉત્પત્તિ માટે નીચે પ્રમાણે જુદા જુદા મત આપવામાં આવ્યા છે.
પા + લિ > પાલિ > પંક્તિ
પરિયાય > પલિયાય > પાલિયાય > પાલિ
પાટિલ > પાડિલ > પાલિ
પલ્લી > પાલિ
પાઠ > પાળી > પાલ > પાલિ
મુખ્યત્વે એમ માનવામાં આવે છે કે ત્રિપિટકમાં આવતા પરિયાય શબ્દમાંથી પાલિ શબ્દ બન્યો હોવો જોઈએ. ઈ.સ.ની ૧૩ મી અને ૧૪ મી સદી સુધી તેનો અર્થ બુદ્ધવચન કે ત્રિપિટકનો પાઠ એવો જ થતો હતો. પણ પછી ધીમે ધીમે તેનો અર્થ બુદ્ધવચન જે ભાષામાં લખાયાં છે તે ભાષા પાલિભાષા—એવો પ્રચલિત થયો. પણ એ અર્થ કયા સમયથી પ્રચલિત થયો, તેનો નિશ્ચય કરવો મુશ્કેલ છે. આજે પાલિ એટલે ત્રિપિટકનું સાહિત્ય જે ભાષામાં સંપાદિત થયું છે તે ભાષા – એવો અર્થ સામાન્ય બની ગયો છે. પરંતુ પાલિ શબ્દનો આ અર્થમાં પ્રયોગ સ્વયં પાલિસાહિત્યમાં થયો નથી. પાલિભાષા એટલે પાલિની બુદ્ધવચનની ભાષા.
ત્રિપિટક જે ભાષામાં લખાયું છે, તે ભાષા માટે માગધ, માગધી, મગધભાષા, માગધા, નિરુક્તિ, માગધિક ભાષા જેવા પ્રયોગો થયેલા છે. તેનો અર્થ થાય છે મગધ દેશમાં બોલાતી ભાષા. સિંહલી પરંપરા અનુસાર ગૌતમ બુદ્ધે જે ભાષામાં ઉપદેશ આપ્યો હતો અને ત્રિપિટકમાં જે ભાષાનો ઉપયોગ થયો છે તે માગધી ભાષા છે, એટલે આજે જેને પાલિભાષા કહેવામાં આવે છે. તે બુદ્ધના સમયમાં મગધ અને તેની આસપાસના પ્રદેશોમાં બોલાતી ભાષા હતી. અને તેનો વિકાસ અનેક પ્રાદેશિક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org