________________
પાલિભાષા
૬૯
પરમત્યદીપની' (ઈ.સ. પાંચમી-છઠ્ઠી સદીમાં) પાલિ શબ્દનો ઉપયોગ અટ્ટકથાથી વ્યતિરિક્ત મૂળ પાલિ ત્રિપિટકના અર્થમાં જ કર્યો છે. તેરમી-ચોદમી શતાબ્દીના સદ્ધમ સગ્ગહ'માં પણ આ જ અર્થમાં પાલિ શબ્દ વપરાયો છે.
આમ ચોથીથી તેરમી સદી સુધી પાલિ શબ્દનો અર્થ કેવળ બુદ્ધવચન જ થતો
હતો.
પણ ધીમે ધીમે બુદ્ધવચન જે ભાષામાં લખાયાં છે, તે ભાષાનું નામ જ પાલિ પ્રચલિત થતું હોય એમ લાગે છે. પાલિ' શબ્દનો ઉદ્દભવ :
પાલિ શબ્દનો અર્થ અને ઉદ્ભવ માટે વિદ્વાનોએ જુદા જુદા મત આપ્યા છે. (૧) આચાર્ય મોગ્દલાન અને કેટલાક વ્યાકરણકારો પાલિ શબ્દને “પા” ધાતુમાં
લિ' પ્રત્યય લગાડીને પાલિ શબ્દ બન્યો હોવાનું કહે છે. અને તેનો અર્થ પંક્તિ એવો કરે છે. પણ ત્રિપિટકનું લેખિત સ્વરૂપ શરૂઆતમાં ઉપલબ્ધ ન હતું. લેખિત ગ્રંથ સાથે જ પંક્તિનો ઉલ્લેખ થઈ શકે. એટલે પંક્તિના અર્થમાં પાલિ શબ્દનો
ઉપયોગ થયો ન હતો. (૨) પ્રથમ સંગતિ અનુસાર પરિયાય શબ્દમાંથી પાલિ શબ્દ બન્યો છે. ત્રિપિટકમાં
બુદ્ધવચન કે તેમના ધર્મોપદેશ માટે પરિયાય અથવા ધમ્મપરિયાય શબ્દનો ઉપયોગ થયો છે.
આ પરિયાય શબ્દમાંથી પલિયાય શબ્દ અને તેમાંથી પાલિયાય શબ્દ બન્યો હોવાની માન્યતા છે.
અશોકે પોતાના શિલાલેખમાં પરિયાયને સ્થાને પલિયાય શબ્દ વાપર્યો છે. ત્યાં પણ બુદ્ધવચનના અર્થમાં જ તેનો ઉપયોગ થયો છે. પલિયાય શબ્દમાંથી આગળનો અક્ષર દીર્ઘ થતા પાલિયાય શબ્દ બન્યો અને તેનું લઘુ રૂપ “પાલિ' થયું. ભિક્ષુ જગદીશ કાશ્યપના મતે મૂળ પરિયામાંથી પલિયાય > પાલિયાય > પાલિ શબ્દ બન્યો છે, પણ તેનો અર્થ તો બુદ્ધવચન જ હતો.
આ ઉરાંત બીજા પણ અનેક મતો પાલિ શબ્દના ઉદ્દભવ માટે આપવામાં આવ્યા છે. (૩) અભિધાનપ્પદીપિકામાં પાલિ શબ્દના પંક્તિ અને બુદ્ધવચન એમ બંને
અર્થ આપવામાં આવ્યા છે. (૪) વિદ્યુશેખર ભટ્ટાચાર્ય પાલિનો અર્થ પંક્તિ માને છે. (૫) રાય ડેવિગ્સ જણાવે છે કે ત્રિપિટકનું લેખિત સ્વરૂપ તૈયાર થયા પછી તેની
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org