________________
વિવિધ
પાલિભાષા પાલિ શબ્દનો અર્થ-ઉદ્ભવ
વર્તમાન સમયમાં ગૌતમ બુદ્ધે જે ભાષામાં ઉપદેશ આપ્યો હતો, તે ભાષા પાલિ તરીકે ઓળખાય છે. વાસ્તવિક દૃષ્ટિએ ઈ.સ.ની તેરમી-ચૌદમી સદી સુધી પાલિ શબ્દ ભાષાના અર્થમાં પ્રયોજાતો ન હતો. ત્યારબાદ બૌદ્ધ ગ્રંથોની ભાષા કે બુદ્ધ વચનોની ભાષા પાલિ ભાષા તરીકે પ્રચાર પામી.
ગૌતમ બુદ્ધ જનસામાન્ય પોતાના ઉપદેશને સમજી શકે, તે હેતુથી, તે સમયે બોલાતી જનભાષામાં ઉપદેશ આપ્યો હતો. તેમનો ઉપદેશ મૌખિક હતો, તેનું લેખિત સ્વરૂપ ત્યારે ઉપલબ્ધ ન હતું. ગૌતમ બુદ્ધે મુખ્યત્વે સમગ્ર ઉત્તરપ્રદેશમાં ફરીને ધર્મપ્રચાર કર્યો હતો. ત્યાંના અલગ અલગ પ્રાન્તની બોલીની અપેક્ષાએ એ સમગ્ર પ્રદેશમાં માગધી ભાષા પ્રચલિત હતી. એટલે અન્ય પ્રાન્તોની બોલીઓની અસર હોવા છતાં બુદ્દે મુખ્યત્વે જે ઉપદેશ કર્યો તે માગધી ભાષામાં હતો. “મોગ્દલાન વ્યાકરણ'માં પણ ધર્મોપદેશની ભાષાનો માગધ-ભાષા તરીકે ઉલ્લેખ થયો છે. (ગ્રંથનો પ્રથમ શ્લોક)
બુદ્ધના ધર્મોપદેશની ભાષા “પાલિભાષા તરીકે કેવી રીતે ઓળખાવા લાગી, તે એક સમસ્યા છે.
પાલિ શબ્દનો સૌ પ્રથમ વ્યાપક ઉપયોગ બુદ્ધઘોષના સમયથી (ઈ.સ. ચોથી સદી) થયો છે, પણ ત્યાં પાલિ શબ્દનો ઉપયોગ ત્રિપિટક અથવા બુદ્ધવચનના અર્થમાં થયો છે. ભાષાના અર્થમાં તેનો ઉપયોગ થયો નથી. પાલિ શબ્દનો પ્રયોગ મૂળ ત્રિપિટકના અર્થમાં આવે છે. જેમ કે...વગેરે ઉદાહરણ તરીકે નીચેનાં વાક્યો જોઈએ.
રીનિવારે પતિ..Sિાર પતિ... पालियं इध आनीतं, नत्थि अट्ठकथा इध અર્થાત્ અહીં કેવળ પાલિ છે, અર્થકથા નથી. नैव पालियं न अट्ठकथायं दिस्सति । અર્થાત્ ન તો પાલિમાં અને ન તો અર્થકથામાં આ જોવા મળે છે. इमिस्सा पन पालिया एवमत्थां वेदितब्बो । અર્થાત્ આ પાલિનો આ પ્રમાણેનો અર્થ સમજવો જોઈએ.
આ વાક્યોથી સ્પષ્ટ થાય છે કે પાલિ શબ્દનો અર્થ અહીં મૂળ ત્રિપિટક કે બુદ્ધવચન એવો થાય છે.
ત્રિપિટકમાં પાલિ શબ્દ નથી. બુદ્ધઘોષ પહેલા આ શબ્દનો ઉપયોગ થયો હોય તેમ જણાતું નથી. “દીપવંસ'માં (ઈ.સ.ની ચોથી સદી) અને ધમ્મપાલે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org