SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ગણરાજયોના સંદર્ભમાં લોકકર્તુત્વ વિશેની ગૌતમ બુદ્ધની... ૨૭ યુદ્ધથી એ વજીઓનો વિનાશ નહીં કરી શકે, સિવાય કે અજાતશત્રુ રાજા લાંચ, લાલચ અને પ્રલોભનોથી તેમનામાં વિખવાદ ઊભો કરે કે અંદરોઅંદર મતભેદ ઊભા કરાવે....'' આ જે સાત અપરિહાનિય ધર્મોનું વર્ણન છે, તે આપણે માટે આગંતુક નથી, નવા નથી, બલ્ક આપણી વિચારપરંપરા કે સંસ્કારો સાથે વણાઈ ગયેલા છે. પણ તે કેવળ વિચાર સ્વરૂપે જ રહે છે, આપણે તેને અનુસરતા નથી. પંચાયતી રાજમાં લોકકલ્યાણની જે ભાવના છે, એક સબળ, સમુન્નત અને આત્મવિશ્વાસથી સભર લોકસમૂહથી પ્રેરિત સમાજજીવનની જે ભાવના રહેલી છે, તેને ચરિતાર્થ કરવા માટે, આજે પણ આ અપરિહાનિય ધર્મોનું જાગ્રતપણે પાલન કરવામાં આવે તે જરૂરી છે. તેના પાલનથી આંતરિક શત્રુઓ ઊભા થવાની સંભાવના રહેતી નથી અને બહારના શત્રુઓ તેમના રક્ષણકવચનને ભેદી શકવા અસમર્થ જ રહેવાના છે. એમ થાય કે પંચાયતી રાજવ્યવસ્થા સાથે ગૌતમ બુદ્ધની આ વાતોનો શો સંબંધ છે? પણ અહીં લોકકર્તુત્વની વાત રજૂ થઈ છે. પ્રજાનાં પણ કર્તવ્યો હોય છે. પંચાયતી રાજને સફળ બનાવવું હોય તો વ્યક્તિની જ નહીં, લોકસમૂહની કર્તવ્યનિષ્ઠા અને સક્રિય જાગૃતિ અનિવાર્ય છે. એ લોકકર્તુત્વની વિભાવના ૨૫૦૦ વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધે આપી હતી. આજે પણ એનું મહત્ત્વ એટલું જ સ્વીકાર્ય છે. (૧દીઘનિકાયના “મહાપરિનિર્વાણ' સૂત્રને આધારે ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy