________________
૬૬
વિવિધા
થયેલા છે, તેનું પાલન તો કરે છે ને?
આનંદનો સંતોષપ્રદ પ્રત્યુત્તર જાણીને ગૌતમ બુદ્ધ ચોથા ધર્મ વિશે પૂછે છે :
આનંદ, શું તેં સાંભળ્યું છે કે વસ્તુઓ તેમના વૃદ્ધ-વડીલોનો સત્કાર કરે છે કે તેમને માન આપે છે, તેમનું પૂજન કરે છે અને તેમની વાતને વિચારણીય માને છે ?'
આનંદ જણાવે છે કે વસ્તુઓ તેમના વૃદ્ધ-વડીલોનો સંપૂર્ણ આદર કરે છે. ત્યાર બાદ ગૌતમ બુદ્ધ પાંચમાં અપરિહાનિય ધર્મ વિશે કહે છે :
આનંદ, વજીઓ વિવાહિત કે અવિવાહિત સ્ત્રીઓ ઉપર જોરજુલમ તો નથી કરતા ને ? તેમને બળજબરીથી તો નથી ઉપાડી લાવતા ને ?'
આનંદ જણાવે છે કે તેમના રાજ્યમાં સ્ત્રીઓનું ગૌરવ સારી રીતે સાચવવામાં આવે છે.
ગૌતમ બુદ્ધ આગળ પ્રશ્ન કરે છે :
આનંદ, વજીઓ નગરની અંદર કે બહાર આવેલાં દેવસ્થાનોની સારી રીતે કાળજી રાખે છે? તેની પૂજા કરે છે ? તેને માટે પહેલા નક્કી કરવામાં આવેલા વિધિ, નિષેધો અને ધર્મ અંગેના નીતિનિયમોનો લોપ તો નથી કરતા ને ?”
વજી લોકો દેવસ્થાનો પ્રત્યે શ્રદ્ધા અને આદરભાવ રાખનારા હોવાનું આનંદ જણાવે છે. ત્યાર બાદ ગૌતમ બુદ્ધ સાતમો પ્રશ્ન પૂછે છે :
આનંદ, શું તે સાંભળ્યું છે કે વજજીઓ ધર્મ અને જ્ઞાનના જાણકાર વિદ્વાનો અને અહંતોનું સારી રીતે સન્માન કરે છે કે જેથી રાજ્યમાં આવેલા ધર્મપુરુષો ત્યાં સુખપૂર્વક નિવાસ કરે અને ન આવેલા વિદ્વાનો રાજયમાં આવવા માટે પ્રેરાય ?'
આનંદ જવાબ આપે છે કે, “હા, મેં સાંભળ્યું છે કે વજજીઓ અહતો અને સાધુજનોની યોગ્ય રીતે સેવાપૂજા કરે છે.'
ત્યાર બાદ પાસે બેઠેલા વર્ષકાર બ્રાહ્મણને ગૌતમ બુદ્ધ જણાવે છે કે,... હે બ્રાહ્મણ...એક વખત હું વૈશાલીના સારદ્દ ચૈત્યમાં વિહાર કરતો હતો, ત્યારે મેં વજીઓને આ સાત અપરિહાનિય ધર્મોનો- જેના પાલનથી હાનિ કે વિનાશ ન થાય તેવા આ નિયમોનો ઉપદેશ આપ્યો હતો. જયાં સુધી વજીઓ આ સાત અપરિહાનિય ધર્મોનું પાલન કરશે ત્યાં સુધી તેમની વૃદ્ધિ જ થશે, હાનિ કે વિનાશ નહીં થાય.
વર્ષકાર બ્રાહ્મણે ગૌતમ બુદ્ધને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, “હે ગૌતમ, આ સાતમાંથી એક જ અપરિહાનિય ધર્મનું આ વજજીઓ પાલન કરે તો પણ તેમની વૃદ્ધિ જ છે, હાનિ નહીં. તો પછી સાત અપરિહાનિય ધર્મના પાલનની તો વાત જ શી કરવી? રાજા યુદ્ધ દ્વારા વજજીઓ પર વિજય મેળવી શકશે નહીં, તે નિશ્ચિત છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org