SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ગણરાજ્યોના સંદર્ભમાં લોકકર્તૃત્વ વિશેની ગૌતમ બુદ્ધની... ૫ સાથેના આ યુદ્ધ વિશે ગૌતમ બુદધનો અભિપ્રાય પણ જાણવો જરૂરી છે. તેથી તું બુદ્ધ પાસે જા, અને એમનો પ્રતિભાવ જાણી લે.' અજાતશત્રુની આજ્ઞા પ્રમાણે વર્ષકાર બ્રાહ્મણ ગૃધ્રકુટ પર્વત ઉપર ગૌતમ બુદ્ધની પાસે ગયો અને તેમને રાજા અજાતશત્રુનો વિચાર જણાવ્યો. તે સમયે ગૌતમ બુદ્ધનો શિષ્ય આનંદ તેમને પંખો નાખતો હતો. ગૌતમ બુદ્ધ, તાત્કાલિક રીતે વર્ષકાર બ્રાહ્મણના પ્રશ્નોનો જવાબ આપવાને બદલે આનંદને પ્રશ્ન પૂછવા લાગ્યા : 'किन्ति ते आनन्द ! सुतं, वजी अभिण्हं सन्निपाता सन्निपातबहुला ति ?' ‘આનંદ શું તે સાંભળ્યું છે કે વજ્જીઓ સભા-સમિતિ યોજીને એકમત થઈને રાજ્યના નીતિનિયમો વિશે વિચારણા કરે છે ?’ આનંદ કહે છે : 'सुतं मे तं ! भन्ते ववजी अभिण्हं सन्निपातां सन्निपातबहुला' ति ।' ‘હા, ભત્તે ! મેં સાંભળ્યું છે કે વજ્જીઓ રાજયના નીતિનિયમો વિશે વારંવાર એકત્ર થઈને ચર્ચાવિચારણા કરે છે.' ત્યારે ગૌતમ બુદ્ધ કહે છે : 'यावकिंवच्च आनन्द ! वडजी अभिण्हं सन्निपाता सन्निपातबहुला भविस्सन्ति, वृद्धियेव आनन्द ! वडजीनं पाटिकांखा नो परिहानि ।' ‘આનંદ, જ્યાં સુધી વજ્જીઓ એકત્ર થઈને રાજ્યના નીતિનિયમો વિશે ચર્ચાવિચારણા કરશે, ત્યાં સુધી તેમની વૃદ્ધિ જ થશે, હાનિ થશે નહીં.' આ પ્રમાણે ગૌતમ બુદ્ધ સાત ‘અપરિહાનિયા ધમ્મા' (હાનિ નહીં કરનારા ધર્મ) વિશે આનંદ સાથે પ્રશ્નોત્તરી કરે છે, જે ધર્મોના પાલનથી વજ્જીઓનો ઉત્કર્ષ જ થશે એમ ગૌતમ બુદ્ધ નિઃસંશયપણે કહે છે. તે આ પ્રમાણે છે. બુદ્ધ આનંદને આગળ પૂછે છે : ‘આનંદ, શું તેં સાંભળ્યું છે કે વજ્જીઓ એક જ સમૂહરૂપે સભાનું આયોજન કરે છે અને એકસાથે જ વિખરાય છે ? અને એકસરખી રીતે જ વજ્જીઓનાં કર્તવ્યો કરે છે ?’ આનંદ જવાબ આપે છે કે, હા, વજ્જીઓ એકસાથે જ સભામાં એકત્ર થાય છે, એકસાથે જ છૂટા પડીને વિખરાઈ જાય છે અને એકસાથે જ બધા પોતાનાં કર્તવ્યો કરે છે. ગૌતમ બુદ્ધ સંતોષ વ્યક્ત કરીને ત્રીજા ધર્મ વિશે પૂછે છે કે, હે આનંદ, શું તેં સાંભળ્યું છે કે વજ્જીઓ કાયદાઓનું અયોગ્ય રીતે તો અર્થઘટન નથી કરતા ને ? જે યોગ્ય અર્થ છે તેનો ઉચ્છેદ તો કરતા નથી ને ? અને જે પુરાણા નીતિનિયમો સ્વીકૃત Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy