________________
६४
વિવિધા
પ્રાચીન ગણરાજ્યોના સંદર્ભમાં લોકકર્તુત્વ વિશેની
ગૌતમ બુદ્ધની વિભાવના
અર્વાચીન રાજયનીતિજ્ઞોએ સરમુખત્યારશાહી, રાજાશાહી એમ વિવિધ પ્રકારની રાજયવ્યવસ્થાનું પર્યાવેક્ષણ કરીને વ્યક્તિ અને સમષ્ટિનો ઉત્કર્ષ લોકશાહી પરંપરાથી ચાલતી રાજ્યવ્યવસ્થામાં નિહાળ્યો છે. ભારત જેવા વિશાળ દેશમાં નાનાં ગામડાંઓના અદના નાગરિક પોતાના હક તથા ફરજ પ્રત્યે જાગ્રત અને સક્રિય રહીને શાસનવ્યવસ્થામાં ભાગ લઈ શકે તેવી વ્યસ્થા પંચાયતી રાજ દ્વારા સૂચવવામાં આવી છે. વર્તમાનની આ આપણી રાજ્યવ્યવસ્થાને અતીતના સંદર્ભમાં અત્રે રજૂ કરવામાં આવી છે.
આપણા ઇતિહાસ અને સંસ્કૃતિના સુવર્ણ અક્ષરે લખાયેલાં પાનાંઓનો ફરી એકવાર અભ્યાસ કરીશું તો જણાશે કે, લોકોનું, લોકો વડે અને લોકો માટેનું (of the People, by the People and for the People) 2014 g 241431 કહીએ છીએ તેવી જીવંત શાસનપરંપરાને આપણાં પ્રાચીન ગણરાજ્યોમાં અનુસરવામાં આવતી હતી. પરંતુ આ શાસનપરંપરા ત્યાં સુધી જ સફળ બની રહી, જયાં સુધી ગૌતમ બુદ્ધ પ્રેરિત લોકકર્તુત્વની આજના સંદર્ભમાં કહીએ તો નાગરિકોની ફરજની ભાવના તત્કાલીન પ્રજામાં સર્વથા જાગૃત હતી.
ગૌતમ બુદ્ધ કેવળ એક ધર્મોપદેશક જ ન હતા. આ મહામાનવ એક મનોવૈજ્ઞાનિક સમાજશાસ્ત્રના જાણકાર અને મહાન રાજનીતિજ્ઞ પણ હતા. બહુજન સુખાય, બહુજન હિતાય ધર્મોપદેશ કરનાર ગૌતમ બુદ્ધની લોકકલ્યાણની ભાવના અત્યંત પ્રબળ હતી. એટલે ધર્મની સાથે સામાજિક અને રાજકીય રીતે પણ તે ક્રાંતિકારી બની રહ્યા હતા. તે પોતે પણ રાજવી પુત્ર હતા અને બુદ્ધત્વ પ્રાપ્ત કર્યા પછી અનેક રાજાઓ તેમનું માર્ગદર્શન મેળળવા આવતા હતા. એટલે લોકકલ્યાણના સંદર્ભમાં આદર્શ રાજયવ્યવસ્થા કેવી હોવી જોઈએ, તેનો પણ તેમણે વિચાર કર્યો હતો. રાજ્યવ્યવસ્થાનો આદર્શ ચરિતાર્થ કરવા લોકસમૂહ પણ કેવો તત્પર હોવો જોઈએ તે વિશેના એમના વિચારી બહુ મહત્ત્વના છે. એ અંગેનો એક પ્રસંગ નોંધપાત્ર છે, મનનીય છે.
મગધ દેશની ઉત્તરે વજજી નામના મહાજનોનું બળવાન રાજ્ય હતું. તેઓ લિચ્છવી તરીકે પણ ઓળખાતા.
ગણરાજ્યની શાસનપ્રણાલી ત્યાં પ્રવર્તતી હતી. મગધના તે સમયના રાજા અજાતશત્રુને આ પ્રદેશ પર યુદ્ધ કરવાની અને ત્યાં પોતાની સત્તા સ્થાપવાની ઇચ્છા જાગી. પરંતુ તે પહેલાં તેણે પોતાના વર્ષમાર નામના બ્રાહ્મણમંત્રીને કહ્યું કે ‘લિચ્છવીઓ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org